મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું બોયઝ હાઈસ્કૂલના મેદાનમાં આયોજન


SHARE







મોરબીમાં જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું બોયઝ હાઈસ્કૂલના મેદાનમાં આયોજન

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ અને તેના પરિવાર દ્વારા પાલિકાની પાછળના ભાગમાં આવેલ બોયઝ હાઈસ્કૂલના મેદાનને શ્રીકૃષ્ણ ધામ નામ આપીને ત્યાં શ્રીમદ ભાગવત કથાનું આગામી તા. ૧૭ થી ૨૩ સુધી આયોજન કરવામાં આવ્યું છે સાથે જ સાંસ્ક્રુતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા, મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જરિયા અને પાલિકાના પૂર્વ ચેરમને ભાવિકભાઈ જારીયા અને તેના પરિવાર દ્વારા બોયઝ હાઈસ્કૂલના મેદાનને શ્રીકૃષ્ણ ધામ નામ આપીને ત્યાં શ્રીમદ ભાગવત કથાનું આગામી તા. ૧૭ થી ૨૩ સુધી આયોજન કરવામાં આવ્યું છે એટ્લે કે આ કથા રામ નવમીથી શરૂ થશે અને હનુમાન જયંતીના દિવસે પૂરી થશે અને આ કથાની પોથી યાત્રા તા ૧૭ ના રોજ પાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ જારીયાના નિવાસ સ્થાને જેલ રોડ ઉપરથી નીકળશે અને કથા સ્થળ સુધી જશે અને કથાનું રસપાન પુરાણાચાર્ય શાસ્ત્રી રવીન્દ્રભાઈ જોશી (સરધાર-જૂનાગઢ) વાળા શ્રોતાઓને દરરોજ બપોરે બે થી સાત સુધી કરાવશે જો કે, કથાના છેલ્લા દિવસે એટ્લે કે તા ૨૩ ના રોજ કથા સવારે ૯ થી ૧૨ દરમિયાન ચાલુ રહેશે અને ત્યાર બાદ મહાપ્રસાદ યોજાશે અને કથા દરમ્યાન દરરોજ સાંજે ૭:૩૦ કલાકે મોરબીના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તા ૧૮ ના રોજ રાતે ૯:૦૦ લોકસાહિત્યકાર રાજભા ગઢવીના લોક ડાયરોનું અને તા ૨૨ ના રોજ રાતે ૯:૦૦  કલાકે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિધિબેન ધોળકીયા, તેજશભાઈ શિશાંગીયા અને દિપકભાઈ જોષી કાર્યક્રમ રજૂ કરવામાં આવશે

ડાભી પરિવાર

મોરબી શહેરમાં વજેપર શેરી નંબર ૧૩ રામજી મંદિર વાળી શેરીમાં ડાભી પરિવાર દ્વારા આગામી તા.૯ થી ૧૫ સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને તા ૯ ના રોજ બપોરે ૩:૦૦ કલાકે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને બાળ વિદુષી સંત રત્નેશ્વરીદેવી (ગુરૂ ભાવેશ્વરી માતાજી) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને આ કથા સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે

સૂર્યમુખી હનુમાનજી મંદિર
મોરબીમાં આવેલ હાઉસિંગ બોર્ડમાં સૂર્યમુખી હનુમાનજી મંદિરે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વકતા તરીકે ભગવતીબેન શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે આ કથાનો પ્રારંભ તા ૧૬ થી થશે અને તા ૨૨ ના રોજ પૂર્ણવિરામ થશે અને કથા દરરોજ બપોરે બે થી પાંચ સુધી કથા ચાલશે. તા ૧૬ ના રોજ પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને કથા દરમ્યાન કપિલ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર અને પરીક્ષિત મોક્ષના પ્રસંગો યોજાશે. અને આ કથાના દાતા તરીકે અશ્વિન હરિભાઈ જાદવ છે. અને તા ૨૩ ના રોજ હનુમાન જયંતીના દિવસે મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આચાર્ય પદે હાર્દિકભાઈ પંડ્યા હાજર રહીને યજ્ઞ કરાવશે






Latest News