મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં મારામારી: બંને પક્ષેથી ચાર વ્યક્તિઓને ઈજા થતા સારવારમાં


SHARE











મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં મારામારી: બંને પક્ષેથી ચાર વ્યક્તિઓને ઈજા થતા સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર પ્રેમજીનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવમાં કુલ મળીને ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર પાસે પ્રેમજી નગરમાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવમાં મનિષાબેન જગદીશભાઈ બારોટ (૧૬) રહે રફાળેશ્વર જગાભાઈ દુલાભાઈ બારોટ (૪૫) તથા સામા પક્ષેથી હીનાબેન રાહુલભાઈ જાદવ (૨૪) અને રાહુલ કરસનભાઈ જાદવ (૨૪) રહે બંને પ્રેમજીનગર વાળાઓને ઈજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત ચાલતમાં ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર એકમાં રહેતા રાજેશભાઈ મુન્નાભાઈ ગોરાવા (૨૧) નામના યુવાનને મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે રફિકભાઈ નામના વ્યક્તિ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News