વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં મારામારી: બંને પક્ષેથી ચાર વ્યક્તિઓને ઈજા થતા સારવારમાં


SHARE











મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં મારામારી: બંને પક્ષેથી ચાર વ્યક્તિઓને ઈજા થતા સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર પ્રેમજીનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવમાં કુલ મળીને ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર પાસે પ્રેમજી નગરમાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવમાં મનિષાબેન જગદીશભાઈ બારોટ (૧૬) રહે રફાળેશ્વર જગાભાઈ દુલાભાઈ બારોટ (૪૫) તથા સામા પક્ષેથી હીનાબેન રાહુલભાઈ જાદવ (૨૪) અને રાહુલ કરસનભાઈ જાદવ (૨૪) રહે બંને પ્રેમજીનગર વાળાઓને ઈજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત ચાલતમાં ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર એકમાં રહેતા રાજેશભાઈ મુન્નાભાઈ ગોરાવા (૨૧) નામના યુવાનને મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે રફિકભાઈ નામના વ્યક્તિ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News