મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

રઝળતા ઢોરોને નાથવામાં તંત્ર નિષ્ફળ : મોરબીમાં આથળતા ઢોરએ પત્રકાર મિલનભાઈને ઉલાળતા સારવારમાં, દરરોજ સાંજે જજ બંગલા નજીક પણ જમાવડો કોઈ કાર્યવાહી નહીં..!?


SHARE







રઝળતા ઢોરોને નાથવામાં તંત્ર નિષ્ફળ : મોરબીમાં આથળતા ઢોરએ પત્રકાર મિલનભાઈને ઉલાળતા સારવારમાં, દરરોજ સાંજે જજ બંગલા નજીક પણ જમાવડો કોઈ કાર્યવાહી નહીં..!?

મોરબીમાં તંત્રના પાપે રઝળતા ઢોરનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, જ્યાં જુઓ ત્યાં ઢોરોનો જુમલો જ દેખાય છે અને ઘણીવાર આખલા યુદ્ધ થાય છે. ત્યારે સામાન્ય નાગરિકો અત્યાર સુધોમાં અસંખ્ય વખત ઢોરની ઢીકે ચડી ગયા હોય ત્યારે હવે અહિંના પત્રકાર મિલન નાનક આખલા યુદ્ધનો ભોગ બનેલ છે.જેમા તેઓને હાથ-પગ છોલાવા તેમજ મૂઢ ઇજા પહોંચી છે.અત્રે નોંધનીય છે કે અનેક વખત મીડિયા માધ્યમમાં આવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી તે હકીકત છે અને રજડતા ઢોર મુદ્દે કોર્ટ દ્વારા પણ આકરું વલણ રાખવામાં આવ્યું છે છતાં પણ મોરબીમાં જજ બંગલોની નજીક એટલે કે શક્તિ ચોકની પાસે દરરોજ સાંજે ઢોરનો જમાવડો જોવા મળે છે.છતાં પણ સ્થાનિક તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી તે નરી વાસ્તવિકતા છે.તો વિચારો શહેરના અન્ય વિસ્તારો અને સોસાયટી વિસ્તારોની હાલત શું હશે..?

મોરબીમાં એકાદ વર્ષ પહેલાં પાલિકામાં ભાજપની બોડીની સતા હતી ત્યારે રઝળતા ઢોરના ત્રાસનો મુદ્દો બહુ જ ગાજતા અંતે ભાજપની તે સમયની બોડીએ લોકહિતમાં રઝળતા ઢોરોને પકડવાની ઝુંબેશ શરૂ કરીને શહેરમાં મુખ્યમાર્ગો તેમજ દરેક શેરી ગલ્લીમાંથી એક તબબકે કુલ આશરે ૫૦૦ જેટલા રઝળતા ઢોરને ડબ્બે પુરી પંચાસર રોડ ઉપર પાલિકાની ખરાબાની જમીનમાં નંદીઘર બનાવીને ત્યાં રાખ્યા હતા. દરમિયાનમાં ઝૂલટાપુલ દુર્ઘટના થતા આખી ભાજપ બોડીને બરખાસ્ત કરીને પાલીકાને અધિકારીઓના હવાલે કરવામાં આવેલ.જોકે આ સમગ્ર વહીવટમાં પાલિકાનું સ્વભંડોળ તળિયા ઝાટક થવાથી નંદીઘરનો નિભાવ થઈ શકે એમ ન હોય જે તે વખતે ધારાસભ્ય અમૃતિયાએ આ ૫૦૦ જેટલા નંદીઓને પાંજરાપોળ ખસેડીને નંદીઘર બંધ કરીએ છીએ તેવુ જાહેર કર્યું  હતું. 

અગાઉ જ્યારે ઢોર  ઝુંબેશ શરૂ થઈ હોય ત્યારે શહેરમાં ઘણી જગ્યાએ રઝળતા ઢોર ન હોય અને ઢોર ગાયબ દેખાયાની વચ્ચે અચાનક રાતોરાત ફરી શેરીએ ગલીએ અને રાજમાર્ગો ઉપર ઢોર આવી જતા તંત્રએ નંદીઘરના ઢોરને પાંજરાપોળ ખસેડી દીધા છે કે રઝડતા મુકી દીધા છે..? તેવી ચર્ચા તે સમયે જાગી હતી.શહેરમાડ ફરી એકવાર રઝળતા ઢોરો અગાઉની જેમ આખા શહેરમાં આતંક ફેલાવતા હોય અને વારંવાર આખલા યુદ્ધથી નાગરિકો હેરાન થઈ રહ્યા છે.તે દરમિયાન ગઈકાલે પત્રકાર મિલનભાઇ નાનક પોતાનું બાઇક લઈને શનાળા રોડ ઉપર તેમની માતાની દવા લેવા જતા હતા અને તેઓ તેમની સાઈડમાં હતા અને વાહનની ગતિ પણ મર્યાદીત હતી છતાં તંત્રના પાપે જાણે તેમના નસીબીમાં પીડા લખી હશે એમ શાંતિથી બાઇક જઇ રહેલા મિલનભાઈના બાઇકની સાથે ઓચિંતા જ રોડ ઉપર લડાઈ કરતા કરતા આવી ચડેલા બે આખલાઓ અથડાયા હતા અને તેમને ફંગોળી દીધા હતા.આ આખલા યુદ્ધમાં ઓચિંતા જ રોડ ઉપર આવીને બાઇક સાથે ટકરાતા મિલનભાઈને હાથે-પગે ગંભીરપણે છોલછાલ થઈ હતી.જો કે સદનસીબે આખલા યુદ્ધે આ પત્રકારને હડફેટે લઈ જમીન ઉપર પટક્યા ત્યારે આગળ પાછળના વાહન ચાલકો ઉભા રહી જતા મિલનભાઈનો બચાવ થયો હતો અન્યથા કંઇ અજુગતુ બન્યુ હોત તો જવાબદાર કોણ..?






Latest News