મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાની જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓએ પાસ કરી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા


SHARE







મોરબી તાલુકાની જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓએ પાસ કરી જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા

કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં ધો.૬ થી આગળના અભ્યાસ માટે જવાહર નવોદય વિદ્યાલય કાર્યરત છે અને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે આ પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા પ્રકારની અને ખુબ જ કઠીંન હોય છે જેને મોરબી તાલુકાની જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓએ પાસ કરેલ છે.

મોરબીમાં પીપળી ગામે આવેલ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ચાવડા રોનક વિજયભાઈ વર્ષ ૨૦૨૩-૨૪ માં લેવાયેલ જવાહર નવોદય પરીક્ષામાં પાસ થયેલ છે અને ધો.૬ ના પ્રવેશ માટે ક્વોલિફાઇડ થયેલ છે જે બદલ પીપળી પ્રાથમિક શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે આવી જ રીતે વાંકાનેરની વઘાસિયા શાળાનો વિદ્યાર્થી જેનિલ જવાહર વિદ્યાલય પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે. તેમજ શ્રી માણેકવાડા પ્રા.શાળાના વિદ્યાર્થી પર્વ પૈહારિભાઈ રામાવતએ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરેલ છે આવી જ રીતે વઘાસિયા પ્રાથમિક  શાળાના જગોદણા જેનીલ નરેશભાઈએ માતા, પિતા અને શિક્ષકની મદદથી તૈયારી કરીને આ પરીક્ષા પાસ કરેલ છે મોરબીના જીવાપર (ચ.) ગામે આવેલ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ચાડમિયા કાવ્યાબેન અમિતભાઈએ પણ આ અઘરી પરીક્ષા પાસ કરી છે અને ગામનું તેમજ પરિવારનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે તો માળિયા તાલુકા તરઘરી ગામના સતિષભાઈ પરમારના દીકરા સુમિત પરમારે પણ જવાહર નવોદય વિધાલય તથા બાલાચડી સૈનિક સ્કૂલની પરિક્ષાને પાસ કરી છે.






Latest News