મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયાથી સારવાર માટે ખસેડાયેલ યુવાનનું રસ્તમાં સારવાર દરમ્યાન મોત


SHARE







મોરબીના જાંબુડીયાથી સારવાર માટે ખસેડાયેલ યુવાનનું રસ્તમાં સારવાર દરમ્યાન મોત

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા યુવાનને કેન્સરની બીમારી હોય જાંબુડીયાથી ૧૦૮ મારફતે તેને મોરબી લઈને આવતા હતા ત્યારે લાલપર નજીક અચાનક દુખાવો ઉપાડતા તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા મનસુખભાઈ અવચરભાઈ વઢુરકીયા (૪૩) નામના યુવાનને કેન્સરની બીમારી હોય તેને જાંબુડીયા ગામથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે લઈ જતા હતા ત્યારે લાલપર ગામ નજીક તેને અચાનક દુખાવો પડ્યો હતો અને તેનું મૃત્યુ નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર પાસે પ્રેમજીનગરમાં રહેતા કાંતિભાઈ મેરૂભાઈ ઝાલા (૩૫) યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એ.એમ. ઝાપડીયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ શુભમ સીરામીકમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં દંપતીને ઇજા થઇ હોવાથી ઈજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે અને આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે પ્રિયંકાબેન શ્રીમંતસિંહ કુશવાહ અને શ્રીમંતસિંહ રામશંકર કુશવાહ નામના પતિ પત્નીને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને આ બનાવની પોલીસે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે






Latest News