મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહકને ખરાબ ઘરઘંટી બદલ વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE







મોરબીમાં ગ્રાહકને ખરાબ ઘરઘંટી બદલ વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ કમિશને મોરબી સ્થિત ઘરઘંટીનાં ડિલરને બગડી ગયેલ ઘરઘંટી આપવા બદલ ગ્રાહકને ઘરઘંટીની કિંમત ૯ ટકા વ્યાજ સાથે આપવા આદેશ કરેલ છે તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ માટે ૪૦૦૦ રૂપિયા આપવાનો હુકમ કરેલ છે.

મોરબીનાં રૂષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણચંન્દ્ર હદવાણીએ રસોઇશોપ નામની દૂકાનેથી ઘરઘંટી ૧૧,૫૦૦ માં ખરીદી હતી અને દૂકાનવાળાએ જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં તેમને ઘરઘંટી કેમ ચલાવવી તેનો ડેમો આપશે પણ વારંવાર ફોન કરવા છતાં કોઇ આવ્યું ન હતુ. ત્યારબાદ ૨૦૨૩ નાં માર્ચ મહિનામાં ટેકનિશીયન તેમના ઘરે આવેલો અને ઘરઘંટી ચલાવી આપી હતી પણ બીજા દિવસે ફરી વખત તે બંધ થઈ ગયેલ હતી જેથી પ્રવિણચંદ્રએ વારંવાર દુકાને ફોન કરીને ફરિયાદ કરેલ હતી તો પણ કોઈ જવાબ તેને આપવામાં આવ્યો ન હતો જેથી કરીને પ્રવિણચંદ્ર હદવાણીએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણનો સંપર્ક કર્યો આતો અને વિદિવત દાવો કર્યો હતો જે કેસ ચાલી જતા કોર્ટે ગ્રાહકને માનસિક ત્રાસ અમે ખર્ચના ચાર હજાર રૂપિયા તેમજ ઘરઘંટીનાં રૂપિયા ૯ ટકાના વ્યાજ સહિત પાછા આપવા માટે હુકમ કરેલ છે






Latest News