મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહકને ખરાબ ઘરઘંટી બદલ વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE











મોરબીમાં ગ્રાહકને ખરાબ ઘરઘંટી બદલ વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ કમિશને મોરબી સ્થિત ઘરઘંટીનાં ડિલરને બગડી ગયેલ ઘરઘંટી આપવા બદલ ગ્રાહકને ઘરઘંટીની કિંમત ૯ ટકા વ્યાજ સાથે આપવા આદેશ કરેલ છે તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ માટે ૪૦૦૦ રૂપિયા આપવાનો હુકમ કરેલ છે.

મોરબીનાં રૂષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણચંન્દ્ર હદવાણીએ રસોઇશોપ નામની દૂકાનેથી ઘરઘંટી ૧૧,૫૦૦ માં ખરીદી હતી અને દૂકાનવાળાએ જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં તેમને ઘરઘંટી કેમ ચલાવવી તેનો ડેમો આપશે પણ વારંવાર ફોન કરવા છતાં કોઇ આવ્યું ન હતુ. ત્યારબાદ ૨૦૨૩ નાં માર્ચ મહિનામાં ટેકનિશીયન તેમના ઘરે આવેલો અને ઘરઘંટી ચલાવી આપી હતી પણ બીજા દિવસે ફરી વખત તે બંધ થઈ ગયેલ હતી જેથી પ્રવિણચંદ્રએ વારંવાર દુકાને ફોન કરીને ફરિયાદ કરેલ હતી તો પણ કોઈ જવાબ તેને આપવામાં આવ્યો ન હતો જેથી કરીને પ્રવિણચંદ્ર હદવાણીએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણનો સંપર્ક કર્યો આતો અને વિદિવત દાવો કર્યો હતો જે કેસ ચાલી જતા કોર્ટે ગ્રાહકને માનસિક ત્રાસ અમે ખર્ચના ચાર હજાર રૂપિયા તેમજ ઘરઘંટીનાં રૂપિયા ૯ ટકાના વ્યાજ સહિત પાછા આપવા માટે હુકમ કરેલ છે






Latest News