મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી: સાસરેથી દીકરીને તેડી આવેલ માતા ઉપર જમાઈનો પાઇપ વડે હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ


SHARE











મોરબી: સાસરેથી દીકરીને તેડી આવેલ માતા ઉપર જમાઈનો પાઇપ વડે હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ

મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર પીએનજીપંપની પાસે રહેતી મહિલાની દીકરીને સાસરેથી ઘરે તેડી લાવ્યા હતા જેથી તે મહિલાના જમાઈ સહિતના ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યારે જમાઈએ તેની સાસુને માથાના ભાગે લોખંડનો પાઇપ માર્યો હતો અને અન્ય બે શખ્સોએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબી અને બાદમાં રાજકોટ સુધી લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ મહિલાએ તેના જમાઈ સહિતના ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં અથાણી રોડ રાધેશ્યામ સોસાયટીના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના સનાળા ગામે આવેલ સીએનજી પેટ્રોલ પંપ પાસે રહેતા મંગુબેન કાળુભાઈ વાઘેલા જાતે દેવીપુજક (૪૦) નામની મહિલાએ તેના જમાઈ સાગરભાઇ બહાદુરભાઈ માથાહુડીયા, નાગજીભાઈ બહાદુરભાઈ માથાહુડીયા અને વિજય કોળી રહે. ત્રણેય આમ્રપાલી ફાટક પાસે રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, તેની દીકરીને તેઓ સાસરેથી તેડી લાવતા તેના જમાઈને સારું નહીં લાગતા તે ફરિયાદી મહિલાના ઘરે આવ્યા હતા અને ત્યાં ફરિયાદી મહિલાને તેના જમાઈએ માથાના ભાગે લોખંડનો પાઇપ માર્યો હતો અને તેની સાથે રહેલા બે શખ્સોએ ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી ભોગ બનેલ મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં મહિલાએ તેના જમાઈ સહિતના ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ગળાફાંસો ખાધો

વાંકાનેર તાલુકાના નવાપરામાં રહેતા કૈલાશ ભરતભાઈ ગોરીયા (૧૮) નામના યુવાને પોતે પોતાના ઘરે ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને સારવાર માટે તાત્કાલિક મોરબી શહેરમાં આવેલ સનાળા રોડ ઉપર ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર સિટીમાં બનેલો હોવાથી આ બનાવની વાંકાનેર સિટીને જાણ કરવા માટે કવાયત કરી હતી






Latest News