ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારીથી કંટાળીને પરિણીતાએ દવા પી લેતા સારવારમાં


SHARE











મોરબીમાં બીમારીથી કંટાળીને પરિણીતાએ દવા પી લેતા સારવારમાં ખસેડાઇ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારુતિનંદન એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને થાઇરોઇડની બીમારી હોવાથી કંટાળીને તેણીએ દવા પી લીધી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા રચનાબેન ધ્રુવભાઈ (૨૭) નામની પરણીતાએ દવા પી લીધી હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારથી વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર.સોનારા ચલાવી રહ્યા છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રચનાબેનને થાઇરોડની બીમારી હોવાથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હોવાનું તેમના પરિવરજનો પાસેથી જાણવા મળેલ છે.જે અંગેની પોલીસે નોંધ કરીને આ બાબતે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હીથ ધરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના સોખડા ગામે રહેતા ભક્તિરામ પ્રભુદાસ નિમવત (૭૨) વર્ષના વૃદ્ધ ગામ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ વી.સ. ડાંગર ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા કુદરસિંગ મગનભાઈ (૩૫) નામના યુવાનને મારામારીમાં ઈજા થઈ હતી જેથી કરીને જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ભરતનગર ગામે રહેતા મોહનભાઈ અરજણભાઈ (૫૦) નામના આધેડને જુના સદુકા ગામ પાસે અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા નવઘણભાઈ કુંડાભાઈ સુરેલા (૫૮) અને નરેશ નવઘણભાઈ સુરેલા (૨૧) નામના બે વ્યક્તિઓનો મારામારીમાં ઈજા પામનાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ એ.મ. જાપડીયા ચલાવી રહ્યા છે 






Latest News