વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના લુણસર નજીક સીરામીક કારખાનામાં મશીનના પટ્ટામાં માથું આવી જવાથી યુવાનનું મોત


SHARE











વાંકાનેરના લુણસર નજીક સીરામીક કારખાનામાં મશીનના પટ્ટામાં માથું આવી જવાથી યુવાનનું મોત

વાંકાનેરના લુણસર પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મશીનના પટ્ટામાં માથું આવી જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવ અંગેની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જોકે, આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લુણસર નજીક આવેલ બ્લીઝાર્ડ સીરામીક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો ઉમેશ પંચુભાઈ અઘેરવાલ (૨૩) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો દરમ્યાન કોઈ કારણોસર મશીનના પટ્ટામાં તેનું માથું આવી જવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે રહેતો નીતિન જયંતીભાઈ સગારકા (૨૮) નામનો યુવાન મકનસર ગામ પાસે આવેલ એક્સલ સીરામીક સામેથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેની બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઈજા થવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અમૃતબેન વિરજીભાઈ વિજવાડીયા. રતનભાઇ ચકુભાઈ ઝાપડા અને દયાબેન વાલજીભાઈ વિજવાડીયા ગામના ત્રણ વ્યક્તિઓને ઇજા થવાથી તે ત્રણેયને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News