મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજીનો ભવ્ય નવરંગ માંડવો યોજાશે


SHARE







મોરબીમાં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજીનો ભવ્ય નવરંગ માંડવો યોજાશે

શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી મિત્ર મંડળ દ્વારા મોરબી ના મોચી શેરી માં ખાખરેચી દરવાજા ચોકમાં શ્રી હટકેશ્વર મહાદેવ મંદિર સામે આવેલા આષ્થા શ્રદ્ધા ના પ્રતિકસમાં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી નો ભવ્ય નવરંગ માંડવો માતાજી ના મંદિર ના સાનિધ્યમાં તા ૧૫/૩ ને શુક્રવારે યોજાશે વહેલી સવારે થાંભલી રોપણ કરાશે જેમાં સવારે ૯ વાગે ધામધૂમથી વાજતે ગાજતે ભુવાના સામૈયા કરવામાં આવશે આ નવરંગ માંડવા માં ડાક ની રમઝટ રાત્રે ૯ વાગે યોજાશે જેમાં રાવળદેવ શ્રી હરેશભાઇ રાવળ પંચના ભૂવા શ્રી ધીરુભાઇ ખોડાભાઈ ચૌહાણ(લીલા લીમડા વાળા મેલડી માતાજી મંદિર ના ભૂવા શ્રી) સહિત રમેશભાઈ મોહનભાઇ ડોડીયા, જયંતીભાઈ પૂંજાભાઈ રાજગોર,અરુણભાઈ રણમલભાઈ સોલંકી,દિલીપભાઈ રાવળ, અમૂલભાઈ અશોકભાઈ ચાવડા, જનકભાઈ મોહનભાઇ ચૌહાણ, ચમનભાઈ સોઢા, મહેશભાઈ ડોડીયા, જયંતીભાઈ મકવાણા, રવિભાઈ સોલંકી, સહિત ભૂવાશ્રી માતાજી ના ગરબા,છંદ,દુહા ની રમઝટ બોલાવશે.આ નવરંગ માંડવા ના સફળ આયોજન માં શ્રી લીલા લીમડા વાળા મેલડી માતાજી મિત્ર મંડળ ને માઇ ભક્તો સેવાભાવી યુવા ગ્રુપ મંદિર અને ચોક ને રોશની થી ઝળહળતી કરી રાત દિવસના ઉજાગરા કરી તન મન ધન થી જહેમત ઉઠાવીને ખાખરેચી દરવાજા ચોકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા ભક્તો એ માતાજીના માંડવાના દર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવ્યું છે.






Latest News