મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

વધુ એક હત્યા !: મોરબીમાં પરિણીતાના ધરાર પ્રેમીએ કૌટુંબિક ભાઈને છરીના ઘા ઝીંકી યુવાનની કરી હત્યા​​​​​​​ 


SHARE











વધુ એક હત્યા !: મોરબીમાં પરિણીતાના ધરાર પ્રેમીએ કૌટુંબિક ભાઈને છરીના ઘા ઝીંકી યુવાનની કરી હત્યા 

મોરબીના લીલાપર રોડ ઉપર ગત મોડીરાત્રિના પ્રેમીએ પરણીત મહિલાના ઘરે જઈને તેના પતિ સાથે ઝઘડો કર્યો હતો અને "મને તારી પત્ની ગમે છે તું તારી પત્નીને મૂકી દે.." તેમ કહ્યું હતું તે વાતને લઈને બંને યુવકો વચ્ચે ઝઘડો થયો હતો જે દરમિયાનમાં કૌટુંબિક ભાઇ ઇસમે પરિણીતાના પતિને છરી ઝીંકી દીધી હતી જેથી કરીને ગંભીરપણે ઘવાયેલા યુવાનનું મોત નિપજતા મામલો હત્યામાં પલટાયો છે.હાલ મૃતકના મોટા ભાઈએ તેના ભાઇ ઉપર હુમલો કરનાર ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધાવતા સીટી એ ડીવીઝન પોલીસે હત્યાના વધુ એક બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા લીલાપર રોડ ઉપર સ્મશાનની બાજુમાં રહેતા ઇમરાનશા ઉમરશા શાહમદાર જાતે ફકીર (૨૫) નામના યુવાનની ગત મોડીરાત્રીના છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે અંગે મૃતકના મોટાભાઈ જાવિદશા ઉમરશા શાનદાર જાતે ફકીરે (૩૨) રહે. લીલાપર રોડ સ્મશાન પાસે વાળાએ મકરાણીવાસમાં રહેતા સરફરાજ ફિરોજશા શાહમદાર નામના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા મુજબ સરફરાજ તેઓનો કૌટુંબિક ભાઇ થાય છે અને મૃતક ઇમરાનશાના પત્ની સાહિદાબેન તેને પસંદ હોય "તારી પત્ની મને પસંદ છે તું એને છોડી દે" તેમ કહીને મૃતક ઈમરાનશા સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડા દરમિયાન ઇમરાનશા ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો જેથી ગંભીર રીતે ઘવાયેલા ઇમરાનશા ઉમરશા શાહમદારનું મોત નીપજ્યું હતું

વધુમાં મળતી માહિતી મુજબ મૃતક ઇમરાનના સાહિદાબેન સાથે પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા જોકે લગ્નજીવન દરમિયાન તેઓને કોઈ સંતાન ન હોવાનું જાણવા મળેલ છે. તેમજ વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક ઇમરાનશા શાહમદાર અને હત્યારા સરફરાઝના પિતા માસીયાઇ ભાઈ છે જેથી તે વારંવાર હત્યારો સરફરાઝ મૃતક મરાનશાના ઘરે આવતો જતો હતો અને દરમિયાનમાં મૃતકના પત્ની સાહિદાબેન તેને ગમી ગયા હોય અને એ વાત આ સમગ્ર બનાવનું મૂળ કારણ હોવાનું હાલ ફરિયાદમાં સામે આવેલ છે જેથી કરીને એ ડિવિઝન પીઆઈ જે.એમ.આલ દ્વારા મૃતકના મોટા ભાઇ જાવીદશાની ફરિયાદ લઈને હત્યારા સરફરાઝ શામદાર વિરૂદ્ધ કાર્યવાહી કરીને તેને પકડવા માટે આગળની તજવીજ શરૂ કરી છે અને આરોપી પોલીસની હાથવેતમાં હોવાનુ જાણવા મળેલ છે






Latest News