મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી યુવતીના અપહરણના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીના જામીન મંજૂર


SHARE











મોરબી તાલુકામાંથી યુવતીના અપહરણના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીના જામીન મંજૂર

મોરબીમાં રહેતો યુવાન યુવતીને ભગાડી ગયેલ હતો તેની બહેનનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરેલ હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આરોપીઓએ તેના વકીલ મારફતે જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી યુવતીનો ભાઈ કાનાભાઈ જીવાભાઈ સવસેટાની દીકરીને ભગાડી ગયો હતો ત્યાર બાદ ફરિયાદી યુવતી તેની માતા મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા તેના મામાના ઘરે જતાં રહ્યા હતા જેથી આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવતી તેમજ તેની માતા અને તેની મામી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી તેમજ કાનાભાઈજયદીપભાઇ અને વિક્રમભાઈએ ફરિયાદી યુવતીને ઢસડીને ગાડીમાં લઈ જઈને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે પોલીસે આરોપી કાનાભાઈ જીવાભાઇ સવસેટા, જયદીપ જીવણભાઇ સવસેટા, વિક્રમ રાજાભાઈ સવસેટા, જયેશ ઉર્ફે જયલો દેવાયતભાઈ બાબરીયા અને અશોક ઉર્ફે મુન્નાભાઈ દેવાણંદભાઈ જીલરીયાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આરોપીએ તેના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મારફતે મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે પાંચેય આરોપીઓના ૨૦- ૨૦ હજારના શરતી જામીન મંજૂર કરેલ છે તેવી માહિતી આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન પરમાર પાસેથી જાણવા મળેલ છે






Latest News