મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી યુવતીના અપહરણના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીના જામીન મંજૂર


SHARE







મોરબી તાલુકામાંથી યુવતીના અપહરણના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીના જામીન મંજૂર

મોરબીમાં રહેતો યુવાન યુવતીને ભગાડી ગયેલ હતો તેની બહેનનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરેલ હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આરોપીઓએ તેના વકીલ મારફતે જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી યુવતીનો ભાઈ કાનાભાઈ જીવાભાઈ સવસેટાની દીકરીને ભગાડી ગયો હતો ત્યાર બાદ ફરિયાદી યુવતી તેની માતા મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા તેના મામાના ઘરે જતાં રહ્યા હતા જેથી આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી યુવતી તેમજ તેની માતા અને તેની મામી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ઝપાઝપી કરી હતી તેમજ કાનાભાઈજયદીપભાઇ અને વિક્રમભાઈએ ફરિયાદી યુવતીને ઢસડીને ગાડીમાં લઈ જઈને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ આધારે પોલીસે આરોપી કાનાભાઈ જીવાભાઇ સવસેટા, જયદીપ જીવણભાઇ સવસેટા, વિક્રમ રાજાભાઈ સવસેટા, જયેશ ઉર્ફે જયલો દેવાયતભાઈ બાબરીયા અને અશોક ઉર્ફે મુન્નાભાઈ દેવાણંદભાઈ જીલરીયાની ધરપકડ કરી હતી અને આ આરોપીઓને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આરોપીએ તેના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મારફતે મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે પાંચેય આરોપીઓના ૨૦- ૨૦ હજારના શરતી જામીન મંજૂર કરેલ છે તેવી માહિતી આરોપીના વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન પરમાર પાસેથી જાણવા મળેલ છે






Latest News