મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના માનસર ગામે તલ ખાધા બાદ ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું પણ મોત: કુલ બે મોત થયા


SHARE













મોરબીના માનસર ગામે તલ ખાધા બાદ ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયેલ મહિલાનું પણ મોત: કુલ બે મોત થયા

મોરબી તાલુકાના માનસર ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા અને ત્યાં રહેતા પરિવારની મહિલા અને બાળકો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાંથી તલ ભરેલી કોથળી મળી આવી હતી જે કોથળી ઘરે લાવીને તેમાંથી મહિલા અને બાળકોએ તલ ખાધા હતા જેથી કરીને ઝેરી અસર થતા ઉલટીઓ થવા લાગી હતી અને એક બાળકનું પહેલા મોત નિપજ્યુ હતું જો કે, મૃતક બાળકની માતા અને અન્ય એક બાળક સારવાર હેઠળ હતા જેમાંથી અગાઉ મૃત્યુ પામેલ બાળકની માતાનું પણ સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી કરીને આ ઘટનામાં કુલ મળીને બે વ્યક્તિના મોત થયેલ છે જેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગ પ્રમાણે મોરબી તાલુકાના માનસર ગામે રહેતાને ખેતીમાં મજૂરી કામ કરતા મહેશભાઈ ભાંભરના પત્ની સંગીતાબેન (૨૪) અને દીકરા કુલદીપ (૭) તેમજ મોનીત હિમેશભાઈ ઠાકરે (૮) એ તા. ૯/૩ ના રાતે ૮:૩૦ તલ ખાધા બાદ ઝેરી અસર થઈ હોવાથી તે તમામને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. દરમિયાન કુલદીપ મહેશભાઈ ભાંભર (૭) નામના બાળકનું પહેલા મોત નીપજ્યું હતું અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી આ બનાવની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે અને પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ તા ૯/૩ ના રોજ સંગીતાબેન અને બાળક સહિતનાઓની સામે વાડીએથી પાછા ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાળા કલરનું ઝબલુ મળી આવ્યુ હતુ જેમાં સફેદ તલ ભરેલા હતા અને તે તલ સંગીતાબેન તેના દીકરા કુલદીપ અને મોનિત સહિતના પાંચેક વ્યક્તિઓએ ખાધા હતા જોકે બે વ્યક્તિઓને તલ તુરા લાગતા તેણે થુંકી નાખ્યા હોવાથી તેને ઝેરી અસર થઈ ન હતી જોકે સંગીતાબેન, કુલદીપ અને મોનિતે તલ ખાધા હતા અને તે તલ વાવણી કરવા માટેના દવાવાળા તલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું આ ઘટનામાં પહેલા કુલદીપ નામના બાળકનું મોત નીપજયું હતું જો કે, તા ૧૧/૩ ના રોજ સાંજે આઠ વાગ્યે સારવાર દરમ્યાન સંગીતાબેન મહેશભાઈ ભાંભર (૨૪)નું પણ મોત નીપજયું છે જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવમાં માતા-પુત્રનું મોત નોંધાયેલ છે






Latest News