ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયેલ યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ઢુવા નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે જેટ સીરામીક કારખાના પાછળના ભાગમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપર યુવાન રેલ્વે ટ્રેનની ઝડપે ચડી ગયો હતો જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર થઇ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવની મકનસરના રેલ્વે સ્ટેશન માસ્ટર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ભગવાડા પગારિયા ગામનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક જેટ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો સંજય રાજેશભાઈ સોલંકી (૪૦) નામનો યુવાન જેઠ સીરામી કારખાની પાછળથી પસાર થતી રેલવે લાઈનના ફાટક નંબર ૧૪ પાસે કોઈપણ કારણોસર રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયો હતો જેથી કરીને તે યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મોતના બનાવની મકનસર રેલવે સ્ટેશન માસ્તર અર્જુનસિંહ ચૌધરી દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બે બોટલ દારૂ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કપિલા હનુમાન મંદિર પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ૬૦૦ ની કિંમતની દારૂની બોટલો સાથે મુલાવરભાઈ અનવરભાઈ મીનીવાડીયા જાતે પીંજારા (૪૦) રહે. ઘાંચી શેરી ફારૂકી મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News