મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

રાજકોટથી કુલદેવીના દર્શન કરવા આવેલા આધેડ વેપારીનું માટેલિયા ધરામાં ડૂબી જવાથી મોત


SHARE











રાજકોટથી કુલદેવીના દર્શન કરવા આવેલા આધેડ વેપારીનું માટેલિયા ધરામાં ડૂબી જવાથી મોત

રાજકોટની હરિ દર્શન સોસાયટીમાંથી બે દિવસ પહેલા ઘરે કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયેલા આધેડની વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે માટેલિયા ધરામાંથી લાશ મળી આવી હતી જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરતાં પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ તેઓના કુળદેવી ખોડીયાર માતાજી હોય ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા અને પગ લપસતા તેઓ ધરામાં પડી જવાથી તેમનું મૃત્યુ નીપજયું હોવાનું સામે આવ્યું છે તે અંગેની નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ માટેલ ગામે ખોડીયાર માતાજીના મંદિર સામે આવેલ માટેલિયા ધરામાંથી રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ હરિ દર્શન સોસાયટીમાં રહેતા વેપારી બીપીનભાઈ કરમશીભાઈ પીપળીયા જાતે પટેલ (૫૫)નો મૃતદેહ ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને વાંકાનેરની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ અંગેની જાણ વાંકાનેર તાલુક પોલીસને કરવામાં આવી હતી જેથી આગળ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જે.જી. ઝાલા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે બીપીનભાઈ પીપળીયા બે દિવસ પહેલા પોતાના ઘરેથી કોઈને કશું કર્યા વગર નીકળી ગયા હતા જોકે વઘાસીયા ટોલનાકા પાસે ફસ્ટેગમાં તેનો ગાડી પસાર થઈ હતી અને તેના રૂપિયા કપાયાનો મેસેજ તેના દીકરાં મોબાઇલમાં આવ્યો હતો જેથી કરીને તેના પિતા ગાડી લઈને વાંકાનેર તાલુકાનાં માટેલ ગામે આવેલ તેઓના કુળદેવી ખોડીયાર માતાજીના મંદિરે દર્શન કરવામાં આવ્યા હોય તેવું સામે આવ્યુ હતું અને મૃતક બીપીનભાઈ પીપળીયા અવાર નવાર તેઓના કુળદેવીના દર્શને આવતા હોય છે તેવું તેના પરિવારજનોએ જણાવ્યુ છે અને ધરા પાસે કોઈ કારણસર અકસ્માતે તેઓનો પગ લપસતા તેઓ માટેલિયા ધરામાં પડી ગયા હોય જેથી તેમનું મોત થયું હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીમાં આવેલ મકરાણીવાસમાં રહેતા સમશાદબેન રફિકભાઈ મકરાણી (૩૦) નામની મહિલાને તેના પતિ દ્વારા ઘરે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે






Latest News