મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી સહિત સમગ્ર ગુજરાતના મુખ્ય શિક્ષકોએ પડતર માંગણીઓને લઇને ગાંધીનગરમાં કર્યા ધરણાં


SHARE











મોરબી સહિત સમગ્ર ગુજરાતના મુખ્ય શિક્ષકોએ પડતર માંગણીઓને લઇને ગાંધીનગરમાં કર્યા ધરણાં

ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના નેજા હેઠળ રાજ્યના 2000થી વધુ મુખ્યશિક્ષકો (HTAT આચાર્ય)એ બદલીના નિયમોની માંગણી મુદ્દે ગાંધીનગરમાં ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં પ્રદર્શન યોજયું હતું.

જેમાં મોરબી જિલ્લાના 75થી વધુ HTAT આચાર્યો જોડાયાં હતાં. મોરબી જિલ્લાના વિવિધ ગામોની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે વર્ષ 2012થી ફરજ બજાવતાં આચાર્યોની બદલી આજદિન સુધી થઈ નથી, એ માટે કોઈ પણ પ્રકારના નિયમો બન્યા નથી. માત્ર આશ્વાસન આપી નિયમો આવશે આવશે એવા વાયદાઓ આપવામાં આવી રહ્યાં હોય તમામ આચાર્યો નાસીપાસ થયાં છે અને પરિણામે સંગઠિત થઈ ધરણાં ઉપર ગાંધીનગર ખાતે એકત્રિત થઈ, વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. મોરબી જિલ્લાનું નેતૃત્વ વિનોદ ગોધાણી, મુકેશ મારવાણીયા, રાવત કાનગડ, હિરેન ઘોરીયાણી, મનન બુધ્ધદેવ  સહિતનાએ કર્યું હતું. અને ગાંધીનગર ખાતે યોજાયેલ આ ધરણાં કાર્યક્રમમાં બદલીના નિયમો જાહેર કરો એવું સૌ આચાર્યએ બુલંદ અવાજે કહ્યું હતું.






Latest News