મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે નિરાધાર બાળકો માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઇ


SHARE











મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે નિરાધાર બાળકો માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઇ

મોરબી જીલ્લાના બેલા ગામ પાસે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં બાળસંભાળ ગૃહની સ્થાપના કરવામાં આવેલ છે અને આ સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા બાળકોની અઢાર વર્ષ સુધીની જવાબદારી નિભાવવામાં આવશે.

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે ખોખરા હનુમાન હરિહર ધામ આવેલ છે તેના પરિસરમાં મહા મંડલેશ્વર કનકેશ્વરી દેવી દ્વારા નિરાશ્રિત બાળકોના ઉછેર માટે બાળસંભાળ ગૃહની માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલ છે. મોરબી જીલ્લાના એવા કોઈ પણ બાળકો કે, જેને જવાબદારી પૂર્વક સંભાળનાર ન હોય તેના ઉછેરની સંપૂર્ણ વ્યવસ્થા, નિવાસ, ભોજન, અભ્યાસ વગેરે જેવી સુવિધાયુક્ત બાળસંભાળ ગૃહ, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત સદ્વગુરુ વાત્સલ્ય વાટીકાશરૂ કરવામાં આવેલ છે. આ સંસ્થા દ્વારા આવા બાળકો માટે વિનામુલ્યે સર્વાંગી વિકાસના હેતુથી સંસ્થાને શરૂ કરવામાં આવી છે અને ત્યાં આવા 0 થી ૧૮ વર્ષ સુધીના બાળકોની જવાબદારી સંસ્થા દ્વારા નિભાવવામાં આવશે. જે સમાજ સુરક્ષા વિભાગ તથા બાળસુરક્ષા વિભાગના બાળકિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ ના માપદંડ મુજબ ચલાવવામાં આવશે. મોરબી જીલ્લાના સમાજ સેવી નાગરિકોને વિશેષ માહિતી માટે આશ્રમના કાર્યાલય ખાતે અથવા તો મોબાઈલ નં. ૯૯૦૪૯૫૫૫૫૨ અને ૯૮૯૮૨ ૫૫૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News