મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી : પિયર જતી રહેલ પત્ની છૂટાછેડાનું જણાવતી હોય મનમાં લાગી આવતા બ્લેડથી ચેકા મારતા યુવાન સારવારમાં


SHARE











મોરબી : પિયર જતી રહેલ પત્ની છૂટાછેડાનું જણાવતી હોય મનમાં લાગી આવતા બ્લેડથી ચેકા મારતા યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે રહેતા યુવાને જાતે બ્લેડ વડે હાથના ભાગે ચેકા મારી લેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો આ બાબતે મોરબી સીટી બી ડિનિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અલ્પેશ અશોકભાઈ કુરિયા કોળી (ઉમર ૨૮) રહે.નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને બનાવની હોસ્પિટલ ખાતેથી જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયાએ પહોંચીને તપાસ કરી હતી.તેઓએ કરેલી તપાસ બાદ સામે આવ્યું હતું કે અલ્પેશભાઈ કોળીના પત્ની બોલાચાલી થવાથી પિયર જતા રહ્યા હોય અને છૂટાછેડા માટે જણાવતા હોય તે બાબતે મનોમન લાગી આવતા અલ્પેશભાઈએ જાતે નજરબાગ પાસે આવેલ ફિલ્ટર હાઉસ નજીક બ્લેડ વડે હાથના ભાગે છેકા મારી દીધા હતા.જેથી તેને સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો.

રેલ્વે સ્ટેશન પાસે મારામારીના બનાવમાં બે યુવાનોને ઇજા

મોરબીના ધક્કાવાળી મેલડી માતા મંદિરના પાછળ રેલ્વે સ્ટેશન નજીક આવેલ ખાડા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જયેશ વિનોદભાઈ દેગામા (ઉંમર ૩૦) રહે.લાયન્સનગર નવલખી રોડ તેમજ કાનજી વિનોદભાઈ સિંચણાદા કોળી (ઉમર ૩૪) રહે.માધાપરા મિલ વાળી શેરી ને મારામારીના બનાવમાં બીજાઓ પહોંચી હતી.જેથી બંનેને ૧૦૮ વડે સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા મારામારી સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે.

નજરબાગ વિસ્તારમાં મારામારી

મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા અકબરભાઈ સૈયદભાઈ બુખારી (ઉંમર ૩૨) રહે.વીસીપરા મોરબી ને ઇજાઓ પહોંચી હતી.જેથી સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.સેરબાનુબેન દ્વારા તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને મકબુલભાઈ નામના વ્યક્તિ દ્વારા અકબરભાઇને માર મારવામાં આવ્યો હોય હાલ આ બનાવ સંદર્ભે સીટી બી ડિવિઝનમાં જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા બનાવના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરાયેલ છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા મકસુદ મહેબૂબભાઈ શાહદાર ફકીર (ઉંમર ૧૯) નામના યુવાને મોરબીના સબજેલ ચોક પાસે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લીધું હતું.જેથી કરીને તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો અને હોસ્પિટલમાં તેની સારવાર કર્યા બાદ પોલીસમાં જાણ કરાતા હાલ સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ બનાવ અંગે નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News