મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

અમદાવાદ ખાતેથી યુવતીનું અપહરણ કરનાર શખ્સ યુવતી સાથે મોરબીના વનાળીયા ગામેથી પકડાયો


SHARE







અમદાવાદ ખાતેથી યુવતીનું અપહરણ કરનાર શખ્સ યુવતી સાથે મોરબીના વનાળીયા ગામેથી પકડાયો

મોરબીના વનાળીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરીકામ કરતા ઇસમની અમદાવાદ પોલીસ દ્વારા શકમંદ તરીકે અટકાયત કરવામાં આવી છે અને હાલ તપાસના કામે તેને સાથે અમદાવાદ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.ત્યાં તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અપહરણના બનાવમાં ભોગ બનનાર યુવતીની સાથે તે હાલ મોરબીમાંથી મળી આવ્યો હોય તેને આગળની તપાસ માટે અમદાવાદ લઈ જવા આવ્યો છે.આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના વનાળીયા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા અને મૂળ વડોદરાના રહેવાસી સંજયભાઈ નટુભાઈ નાયર (ઉમર ૧૯) ની અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ગોપાલભાઈ દ્વારા શકમંદ તરીકે હસ્તગત કરવામાં આવ્યો હતો અને તેની સાથે ભોગ બનનાર યુવતી પણ મળી આવી હોય ત્યાં તેઓના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના કેસની તપાસ માટે હાલ સંજય નટુભાઈ નાયર નામના શખ્સને તથા તેની સાથે મળી આવેલ યુવતીને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.

આધેડ મહિલા સારવારમાં

ટંકારાના હરિઓમનગર વિસ્તારમાં રહેતા રમીલાબેન નરેન્દ્રભાઈ ભાડેજા નામની ૪૦ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.આ બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રમીલાબેનનો લગ્નગાળો ૨૫ વર્ષનો છે અને ટંકારાના હરિઓમનગર વિસ્તારમાં તેઓ રહે છે જ્યાં તેઓએ તેઓના ઘરે ફીનાઇલ, કેરોસીન તથા અન્ય કોઈ દવાઓ મિક્સ કરીને પી લીધી હોય તેઓને સારવાર માટે અત્રેની સત્યમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવની આગળની તપાસ માટે ટંકારા પોલીસમાં જાણ કરી હતી.જયારે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે થયેલ મારામારીના બનાવમાં સિહોરના રહેવાસી રીટાબેન બકુલભાઈ મજેડીયા નામના ૫૦ વર્ષીય મહિલાને ઇજાઓ થતા મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રહેવાસી હંસાબેન સુરેશભાઈ કાલરીયા નામના ૫૬ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલા વૈદેહી પ્લાઝા નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજા પામતા હંસાબેન કાલરીયાને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ કિશનલાલ નામના ૩૬ વર્ષના યુવાનને મોરબીના જેલ રોડ ઉપરથી બાઈક લઈને જતા સમયે વાંકાનેર દરવાજા પાસે બાઇક સ્લીફ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો.

ટ્રેન અકસ્માતમાં ઇજા

હળવદના રહેવાસી ખીમુભાઈ કાલાભાઈ ચૌહાણ નામના ૩૫ વર્ષના યુવાનને ટીકરના રેલ્વે ફાટક પાસે ટ્રેન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અહીં એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલે પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ હળવદ પોલીસ મથક વિસ્તારમાં હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરી હતી.






Latest News