મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

તળાજાના બનાવ સંદર્ભે મોરબી જિલ્લા મચ્છોયો આહિર સમાજ તથા રામબાઈ માઁની જગ્યા દ્વારા જાહેર ખુલાસો


SHARE







તળાજાના બનાવ સંદર્ભે મોરબી જિલ્લા મચ્છોયો આહિર સમાજ તથા રામબાઈ માઁની જગ્યા દ્વારા જાહેર ખુલાસો

મોરબીના વવાણીયા ગામે આવેલ રામબીઈ માતાજીની જગ્યાના રામજી મંદિરના પ્રમુખ તેમજ શ્રી મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના પ્રમુખ દ્વારા લેખિતમાં જાહેર જાણ કરવામાં આવેલ છે કે, તળાજા મુકામે લગ્ન સમારોહમાં આહીર સમાજના વ્યક્તિ દ્વારા જે રીતે સ્ટેજ ઉપરથી સમગ્ર ગઢવી-ચારણ સમાજ અને સોનલ માતાજી વિશે એલફેલ બોલનાર વ્યક્તિ સાથે સમગ્ર આહીર સમાજને કોઈ લેવા દેવા ન હોય તે બાબત જે તે વ્યક્તિની ભુલ છે.ગઢવી-ચારણ સમાજ અને આહિર સમાજનો મામા-ભાણેજનો સંબંધ રહ્યો છે અને રહેશે તેમાં કોઇ બેમત નથી.

સૌરાષ્ટ્રના તળાજા મુકામે સમુહલગ્નના એક પ્રોગ્રામમાં ચારણ સમાજ વિરૂદ્ધનાં શબ્દો કોઈ એક વ્યકિત બોલે છે એવા વિડીયો સોશિયલ મીડિયામાં જોવા અને સાંભળવા મળેલ છે.ત્યારે ખુલાસા સાથે જણાવવાનું કે આહિર સમાજ અને ચારણ સમાજનાં મામા-ભાણેજનાં સંબંધ છે એટલે ચારણ સમાજ વિશે બોલનાર વ્યકિતનાં તે વ્યકિતગત વિચાર હોઇ શકે છે તે વાતને આહિર સમાજને કોઈ લેવા દેવા નથી.શ્રી મોરબી જીલ્લા મચ્છોયા આહિર સમાજ અને તેના સહુ આગેવાનો આ ઘટનાને વખોળી કાઢીએ છીએ.તેમજ આહિર સમાજ અને ચારણ સમાજ સહુ એક સાથે છીએ, બંને સમાજ મામા-ભાણેજનાં સંબંધથી જોડાયેલા હતા અને કાયમ રહીશું.તેમ રામજી મંદિર રામબાઈ માતા મંદિર વવાણીયાના પ્રમુખ જશુભાઈ રાઠોડ તેમજ શ્રી મોરબી જીલ્લા મચ્છોયા આહીર સમાજના પ્રમુખ જયદિપભાઇ હુંબલએ યાદીમાં જણાવેલ છે.






Latest News