મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા  બોર્ડના પરિક્ષાર્થીઓ માટે યોજાશે એમસીક્યુ ટેસ્ટ


SHARE







મોરબીની નીલકંઠ સ્કૂલ દ્વારા  બોર્ડના પરિક્ષાર્થીઓ માટે યોજાશે એમસીક્યુ ટેસ્ટ

બોર્ડના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા સમયે પરીક્ષા કઈ રીતે આપવાની હોય..? કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું ..? તે માટેનો મહાવરો થાય તે હેતુથી મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે એમસીક્યુ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે.

આગામી માર્ચ મહિનામાં ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છેે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડરનો દૂર થાય તેમજ કઇ બાબતોનું ધ્યાન રાખવુ તેનો મહાવરો થાય તે હેતુથી અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસમાં વધે તે માટે નીલકંઠ સ્કૂલ દ્વારા તા.૧૮ ને રવિવારના સવારે ૯ થી ૧૧ નીલકંઠ સ્કૂલ રવાપર રોડ ખાતે મોરબીની તમામ સ્કૂલ અને ક્લાસીસના ધો.૧૦ ના વિદ્યાર્થીઓ માટે એમસીકયુ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટેસ્ટમાં ૧૦૦ માર્કનું પેપર હશે.જેમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ૩૦, ગણિતના ૩૦, સામાજિક વિજ્ઞાનના ૨૦ તેમજ ઇંગ્લિશના ૨૦ એમસીકયુ હશે.પરીક્ષા પૂર્ણ થયા બાદ સૌ માટે નાસ્તાનું આયોજન કરેલ છે.પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડની પરિક્ષામાં સપ્લીમેન્ટરી ભરવા તથા ખાખી સ્ટીકર લગાવવા અને અન્ય ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિષે પણ માહિતી આપવામાં આવશે.પરીક્ષામાં બેઝિક અને સ્ટાન્ડર્ડ એમ બંને ગણિત રાખવામાં આવેલ છે. તો ઓનલાઇન કે ફોનમાં રજિસ્ટ્રેશન કરાવતી વખતે વિષય પસંદગી અચૂક કરવી જેથી વ્યવસ્થામાં સરળતા રહે. રજીસ્ટ્રેશન આ https://forms.gle/4yxwP9P1YpepKfyG6 લીંક ઉપર કરવાનું રહેશે.તેમજ ૯૫૧૨૨ ૯૫૯૫૦ અથવા ૯૫૧૨૨ ૯૫૯૫૧ સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.પરીક્ષામાં ટોપ ૧૦ વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.તેમ સંસ્થાના જીતુભાઇ વડસોલાએ માહીતી આપતા જણાવ્યું છે.






Latest News