મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર ગામે પેટ્રોલ પંપે ઊભી રાખવામા આવેલ કારમાં અચાનક આગ લગતા નાસભાગ


SHARE







મોરબીના બંધુનગર ગામે પેટ્રોલ પંપે ઊભી રાખવામા આવેલ કારમાં અચાનક આગ લગતા નાસભાગ

મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ તુલસી પેટ્રોલ પંપ ઉપર કારને ઊભી રાખવામા આવી હતી ત્યાર બાદ તે કારમાં અચાનક જ આગ લાગી હતી જેથી કરીને મારુતિ કંપનીની બ્રેઝા કારમાં નુકશાની થયેલ હોવાની હાલમાં પેટ્રોલ પંપના માલિકે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. 

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની ત્રાજપર ચોકડી પાસે રહેતા વિનોદભાઇ નાથાભાઇ ડાભી (૪૭)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કારમાં નુકશાનીની જાણ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે તેઓનો તુલસી પેટ્રોલ પંપ આવેલ છે જેના મેદાનમાં તેઓએ મારુતિ કંપનીની બ્રેઝા કાર સીએનજી નંબર ૩૬ એટી ૪૦૮૪ પાર્ક કરીને ઉભી રાખી હતી દરમિયાન કોઈ કારણોસર તે કારમાં આગ લાગી હતી જેથી કરીને આગ લાગવાના કારણે કારમાં નુકસાની થયેલ છે તે પ્રકારની વિનોદભાઈ ડાભી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે. 

વધુમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૮/૨/૨૪ ના રોજ સાંજે ૪:૩૦ વાગ્યાના અરસામાં આ ઘટના તેઓના પેટ્રોલ પંપે બની હતી ત્યાર પહેલાં તેમના મકનસર ગામે આવેલ ગોકુલનગરમાં રહેતા તેના ડ્રાઇવર અજયભાઈ રમેશભાઈ સિરોહીયા દવાખાનાના કામે ગયા હતા જેથી કરીને વિનોદભાઇએ તેને પોતાની ગાડી આપી હતી અને ત્યાંથી અજયભાઇ પરત આવી રહ્યા હતા ત્યારે વઘાસીયા ટોલનાકાથી પહેલા બે કિલોમીટર પાસે ઢુવા નજીક સીટીઆર્ટ શોરૂમ પાસે અજાણી રીક્ષા પાછળના ભાગે કારમાં અથડાઈ હતી અને ત્યારબાદ અજયભાઈ તે કારને લઈને તુલસી પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા અને ત્યાં તેઓએ પેટ્રોલ પંપ પાસે ગાડીને ઉભી રાખી હતી દરમિયાન અચાનક કારના આગળના ભાગમાં આગ લાગી હતી જેથી કરીને કારમાં નુકસાની થયેલ હોવાની પેટ્રોલ પંપના સંચાલકે તાલુકા પોલીસને જાણ કરેલ છે અને તેના સીસીટીવી કેમેરાના વિડીયો પણ છે.






Latest News