ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બે રાહદારીને હડફેટે લઈને એકનું મોત નીપજવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરમાં બે રાહદારીને હડફેટે લઈને એકનું મોત નીપજવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેરમાં આઇ.ટી.આઇ પાસે અજાણ્યા વાહન ચાલકે બે રાહદારી વ્યક્તિને અડફેટે લીધા હતા જેમાથી એકનું ઇજા થવાથી મોત નીપજયું હતુ અને એક વૃધ્ધને પગમાં ગંભીર ઈજા થતા હાલમાં સારવારમાં ખાસેડાયા હતા અને હાલમાં મૃતકના ભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર જીનપરા શેરી નં-૧૨ રહેતા નવધણભાઇ નારણભાઇ દેકાવાડીયા જાતે કોળી (ઉ.૫૫)એ અજાણ્યા વાહન ચાલકની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેરાજકોટ વાંકાનેર રોડ પર આઇ.ટી.આઇ પાસેથી તેના ભાઈ રાજુભાઇ ઉર્ફે કાળુભાઇ નારણભાઇ દેકાવાડીયા ઉ.-૫૦ તથા  મણીલાલ માનસીંગભાઇ લોધા (ઉ-૬૦) પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે બંનેને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા ત્યારે ફરિયાદીના ભાઈને ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને મણિભાઈને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવારમાં લઈ જાણવામાં આવ્યા હતા હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એ કલમ-૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાશી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News