મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બે રાહદારીને હડફેટે લઈને એકનું મોત નીપજવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











વાંકાનેરમાં બે રાહદારીને હડફેટે લઈને એકનું મોત નીપજવનારા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેરમાં આઇ.ટી.આઇ પાસે અજાણ્યા વાહન ચાલકે બે રાહદારી વ્યક્તિને અડફેટે લીધા હતા જેમાથી એકનું ઇજા થવાથી મોત નીપજયું હતુ અને એક વૃધ્ધને પગમાં ગંભીર ઈજા થતા હાલમાં સારવારમાં ખાસેડાયા હતા અને હાલમાં મૃતકના ભાઈએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર જીનપરા શેરી નં-૧૨ રહેતા નવધણભાઇ નારણભાઇ દેકાવાડીયા જાતે કોળી (ઉ.૫૫)એ અજાણ્યા વાહન ચાલકની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેરાજકોટ વાંકાનેર રોડ પર આઇ.ટી.આઇ પાસેથી તેના ભાઈ રાજુભાઇ ઉર્ફે કાળુભાઇ નારણભાઇ દેકાવાડીયા ઉ.-૫૦ તથા  મણીલાલ માનસીંગભાઇ લોધા (ઉ-૬૦) પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે બંનેને કોઇ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા ત્યારે ફરિયાદીના ભાઈને ઇજાઓ થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને મણિભાઈને ઇજાઓ થયેલ હોવાથી તેને સારવારમાં લઈ જાણવામાં આવ્યા હતા હાલમાં પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એ કલમ-૧૮૪, ૧૩૪, ૧૭૭ મુજબ ગુનો નોંધીને અકસ્માત સર્જીને નાશી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News