મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ યુવાનનું મોત


SHARE











મોરબીના ભક્તિનગર સર્કલ પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ યુવાનનું મોત

મોરબીમાં સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે કોઈ અજાણી કારના ચાલકે ઠોકર મારતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના વડવા ગામના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના વીરપર ગામ પાસે આવેલ બાલાજી પેકિંગ નામના કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો પ્રકાશભાઈ ભાવસિંગ રાઠોડ (૨૫) નામનો યુવાન મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે વિરાટ પાવભાજી નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો અને ત્યાં રાત્રિના ૯:૩૦ વાગ્યાના અરસામાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મૃતક યુવાનના ભાઈ ધવલભાઈ સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગઈકાલે કારખાનામાં રજા હોવાથી તેનો ભાઈ મોરબી આવ્યો હતો અને કોઈ અજાણી કારના ચાલાકે તેને હડફેટે લેતા ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેનું મોત નીપજ્યું છે અને અકસ્માતના આ બનાવના કારણે માસુમ બાળકીએ તેના પિતાની છત્રછાયા ગુમાવેલ છે આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી અને હાલમાં મૃતક યુવાનના ભાઈ ધવલભાઈ ભાવસિંગ રાઠોડ (૨૮)ની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ બનાવની વધુ તપાસ સી.એસ. સોંદરવા ચલાવી રહ્યા છે






Latest News