ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા આપવામાં આવતા હવે આયોજન પૂર્વકના વિકાસને વેગ મળશે: દુર્લભજીભાઈ દેથરીયા


SHARE











મોરબી મહાપાલિકા આપવામાં આવતા હવે આયોજન પૂર્વકના વિકાને વેગ મળશે: દુર્લભજીભાઈ દેથરીયા

રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને હાલમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યુ હતું કે, મવડાને બ્રેક લાગવાથી મોરબીના વિકાસને બ્રેક લાગી હતી જો કે, હવે મહાપાલિકા મળવાથી આયોજન પૂર્વકનો વિકાસ થશે

ટંકારાના વર્તમાન ધારાસભ્ય અને મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ પત્રકાર પરિષદ  રાખી હતી અને જણાવ્યુ હતું કે, છેવાડાના માનવીની સુખાકારીમાં વધારો કરે તેવું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે અને તેમાં મોરબી પાલિકાને મહાપાલિકા આપવામાં આવી છે, મવડાને પુનઃ જીવીત કરવામાં આવેલ છે અને મોરબી જિલ્લાને કૃષિ કોલેજ આપવામાં આવી છે તેથી મોરબીના લોકોને ઘણો ફાયદો થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને અગાઉ મોરબી વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી (મવડા) અમલમાં મૂકવામાં આવી હતી તેને બ્રેક લાગવાથી મોરબીનો વિકાસ રૂંધાયો હતો તેવો સવાલ પત્રકારોએ કર્યો હતો ત્યારે ધારાસભ્યએ કહ્યું હતું કે સો ટકા મોરબીના વિકાસને બ્રેક લાગી હતી અને મોરબી પાછળ રહી ગયું છે મોરબીનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે જોતાં ટીપી અને ડીપી વગર હવે મોરબીમાં રહેવું મુશ્કેલ બની ગયું છે ત્યારે મહાપાલિક અને મવડા આવવાથી લોકોને ઘણો ફાયદો થશે વધુમાં તેમણે કહ્યું હતું કે, ઘણા લોકો છેલ્લા વર્ષોમાં મોરબીથી રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં રહેવા માટે જતાં રહ્યા છે પરંતુ હવે મહાપાલિકા મળવાથી મોટા શહેરોની જેમ જ મોરબીનો પણ આયોજન પૂર્વકનો વિકાસ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી 






Latest News