મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખનાં દીકરા ઠાકર લોજ વાળા હિમાંશુભાઈ ઠાકરનું હાર્ટએટેકથી મોત


SHARE







મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખનાં દીકરા ઠાકર લોજ વાળા હિમાંશુભાઈ ઠાકરનું હાર્ટએટેકથી મોત

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો ધી રહ્યા છે તેવામાં મોરબીમાં આવેલ ઠાકર લોજ પરિવારના યુવાન દીકરો તેના મિત્રો અને પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા માટે ગયો હતો ત્યારે ત્યાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું છે

કોરોના બાદ છેલ્લા ઘણા સમયથી નાની વયના લોકોને હાર્ટ એટેક આવવાના બનાવો ચિંતા જનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબીના જેલ રોડ ઉપર આવેલ ઠાકર લોજવાળા નરેન્દ્રભાઈ ઠાકર અને મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ હંસાબેન ઠાકરના દીકરા હિમાંશુભાઈ નરેન્દ્રભાઇ ઠાકર (૩૯)ને હાર્ટ આવી જતાં તેનું મોત નીપજયું છે અને વધુમાં મળતી માહિતી મુજબ હિમાંશુભાઈ તેના  મિત્રો અને પરિવાર સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા તેવામાં તેને ફેટલ હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેનું ત્યાં મોત નીપજયું હતું જેથી કરીને ઠાકર લોજ પરિવાર, બ્રહ્મ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે

હાલમાં હિમાંશુભાઈ ઠાકરના મૃતદેહને મોરબી લઈને આવી રહ્યા છે અને બપોરે ત્રણ વાગ્યે તેની સ્મશાનયાત્રા મોરબીના જેલ રોડે આવેલ ઠાકર લોજ તેઓના નિવાસ સ્થાનેથી નીકળશે અને વિદ્યુત સ્મશાન ખાતે તેની અંતિમ વિધિ કરવામાં આવશે વધુમાં હિમાંશુભાઈ ઠાકરના પરિવારજન પાસેથી મળતી માહિતી મુજબ નરેન્દ્રભાઈ ઠાકર અને હંસાબેન ઠાકરને બે દીકરા અને એક દીકરી આમ કુલ ત્રણ સંતાન છે જેમાં હિમાંશુભાઈ તેનો નાનો દીકરો હતો અને તેની દીકરીનો જન્મ દિવસ હોવાથી તે અંબાજી દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી માઉન્ટ આબુ ફરવા માટે ગયા હતા અને ત્યાં હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું છે






Latest News