મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના હાજર રહેશે


SHARE







ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી સહિતના હાજર રહેશે

મોરબી જિલ્લાના ટંકારાના મહર્ષિ દયાનંદ સરસ્વતીજી કે જેમને દેશ અને દુનિયામાં આઝાદીના ઉદઘોષક, સ્ત્રી ઉદ્ધારક, વેદ ઉદ્વારક, વેદ તરફ પાછા વળો સૂત્રના જનક, પ્રાચીન જીવનશૈલીના પુનઃસ્થાપક તરીકે લોકો જાણે છે ત્યારે ટંકારાના પનોતા પુત્ર મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જયંતીનું ભવ્ય ઉજવણી કરવામાં આવશે ત્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી  સહિતના રાજકીય આગેવાનો સહિતના આર્ય સમાજની સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જન્મ સ્થળ એટલે કે, ટંકારામાં આગામી તા ૧૦ થી ૧૨ સુધી ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજવાનો છે જેના માટે હાલમાં ટંકારા ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારાની બાજુમાં મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ- ટંકારા અને સ્થાનિય વ્યવસ્થાપક સમિતિ- ટંકારા દ્વારા મંડપ, યજ્ઞ શાળા અને સભા મંડપ તેમજ ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ત્યારે આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના રાજકીય આગેવાનો તેમજ આર્ય સમાજની સાથે જોડાયેલા અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની વિચાર ધારાને વરેલા લોકો મોટી સંખ્યામાં હાજર રહેશે






Latest News