મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનને હોટલ-ફાસ્ટફૂડના ધંધામાં ખોટ જતાં દેણું વધી જતાં ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું ખૂલ્યું


SHARE











મોરબીમાં રહેતા યુવાનને હોટલ-ફાસ્ટફૂડના ધંધામાં ખોટ જતાં દેણું વધી જતાં ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું ખૂલ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પાસે પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતો યુવાન પોતાના ઘરેથી સિરામિક કારખાને જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ હતો જેથી તેની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી તેવામાં યુવાન હાલમાં પરત આવી ગયેલ છે અને તેને હોટલ તેમજ ફાસ્ટફૂડના ધંધામાં ખોટ ગયેલ હોવાથી તેના ઉપર દેવું વધી જતાં તેને ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતા ગીતાબેન બીપીનભાઈ કણસાગરા જાતે પટેલ (૫૧) એ થોડા દિવસો પહેલા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દિકરો જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા જાતે પટેલ (૩૨) ગુમ થયો હોવા અંગેની ફરિયાદ આપેલ હતી જેમાં તેણે જણાવ્યુ હતું કે, ગત તા. ૬/૧/૨૪ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં તે પોતાના ઘરેથી ઊંચી માંડલ ગામે આવેલ મેગા સિરામિક કારખાને કામે જવાના બહાને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ ન હતો જેથી ગુમ થયેલા યુવાનની માતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલા યુવાને શોધવા માટે થઈને કવાયત શરૂ કરી હતી તેવામાં હાલમાં જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા જાતે ઘરે પરત આવી ગયેલ છે જેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી છે.

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જીનલભાઈ બીપીનભાઈ કણસાગરાએ અગાઉ ચોટીલા પાસે એન્જોય હોટલ ભાડે રાખી હતી જેમાં ખોટ આવી હતી ત્યાર બાદ તેને મોરબીમાં ઉમિયાજી ફાસ્ટફૂડ શરૂ કર્યું હતું તે ધંધામાં પણ ખોટ આવી હતી જેથી કરીને તેના ઉપર દેણું વધી ગયું હતું જેથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને છેલ્લા દિવસોમાં તે અમદાવાદ, મહેસાણા, ઉજજેન મુંબઈ ગયો હતો જો કે તેની પાસે રહેલા રૂપિયા પૂરા થઈ જતાં તે તેની જાતે જ પાછો આવી ગયો છે.






Latest News