ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનને હોટલ-ફાસ્ટફૂડના ધંધામાં ખોટ જતાં દેણું વધી જતાં ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું ખૂલ્યું


SHARE











મોરબીમાં રહેતા યુવાનને હોટલ-ફાસ્ટફૂડના ધંધામાં ખોટ જતાં દેણું વધી જતાં ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું ખૂલ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પાસે પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતો યુવાન પોતાના ઘરેથી સિરામિક કારખાને જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ હતો જેથી તેની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી તેવામાં યુવાન હાલમાં પરત આવી ગયેલ છે અને તેને હોટલ તેમજ ફાસ્ટફૂડના ધંધામાં ખોટ ગયેલ હોવાથી તેના ઉપર દેવું વધી જતાં તેને ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતા ગીતાબેન બીપીનભાઈ કણસાગરા જાતે પટેલ (૫૧) એ થોડા દિવસો પહેલા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દિકરો જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા જાતે પટેલ (૩૨) ગુમ થયો હોવા અંગેની ફરિયાદ આપેલ હતી જેમાં તેણે જણાવ્યુ હતું કે, ગત તા. ૬/૧/૨૪ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં તે પોતાના ઘરેથી ઊંચી માંડલ ગામે આવેલ મેગા સિરામિક કારખાને કામે જવાના બહાને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ ન હતો જેથી ગુમ થયેલા યુવાનની માતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલા યુવાને શોધવા માટે થઈને કવાયત શરૂ કરી હતી તેવામાં હાલમાં જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા જાતે ઘરે પરત આવી ગયેલ છે જેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી છે.

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જીનલભાઈ બીપીનભાઈ કણસાગરાએ અગાઉ ચોટીલા પાસે એન્જોય હોટલ ભાડે રાખી હતી જેમાં ખોટ આવી હતી ત્યાર બાદ તેને મોરબીમાં ઉમિયાજી ફાસ્ટફૂડ શરૂ કર્યું હતું તે ધંધામાં પણ ખોટ આવી હતી જેથી કરીને તેના ઉપર દેણું વધી ગયું હતું જેથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને છેલ્લા દિવસોમાં તે અમદાવાદ, મહેસાણા, ઉજજેન મુંબઈ ગયો હતો જો કે તેની પાસે રહેલા રૂપિયા પૂરા થઈ જતાં તે તેની જાતે જ પાછો આવી ગયો છે.






Latest News