મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનને હોટલ-ફાસ્ટફૂડના ધંધામાં ખોટ જતાં દેણું વધી જતાં ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું ખૂલ્યું


SHARE







મોરબીમાં રહેતા યુવાનને હોટલ-ફાસ્ટફૂડના ધંધામાં ખોટ જતાં દેણું વધી જતાં ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું ખૂલ્યું

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પાસે પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતો યુવાન પોતાના ઘરેથી સિરામિક કારખાને જવાનું કહીને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયેલ હતો જેથી તેની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી તેવામાં યુવાન હાલમાં પરત આવી ગયેલ છે અને તેને હોટલ તેમજ ફાસ્ટફૂડના ધંધામાં ખોટ ગયેલ હોવાથી તેના ઉપર દેવું વધી જતાં તેને ઘર છોડીને ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યું છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગોપાલ સોસાયટી પૂજા બેકરીની પાછળના ભાગમાં રહેતા ગીતાબેન બીપીનભાઈ કણસાગરા જાતે પટેલ (૫૧) એ થોડા દિવસો પહેલા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેનો દિકરો જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા જાતે પટેલ (૩૨) ગુમ થયો હોવા અંગેની ફરિયાદ આપેલ હતી જેમાં તેણે જણાવ્યુ હતું કે, ગત તા. ૬/૧/૨૪ ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં તે પોતાના ઘરેથી ઊંચી માંડલ ગામે આવેલ મેગા સિરામિક કારખાને કામે જવાના બહાને નીકળ્યો હતો અને ત્યારબાદ તે ઘરે પરત આવેલ ન હતો જેથી ગુમ થયેલા યુવાનની માતાએ નોંધાવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલા યુવાને શોધવા માટે થઈને કવાયત શરૂ કરી હતી તેવામાં હાલમાં જીનલભાઈ બીપીનભાઈ કણસાગરા જાતે ઘરે પરત આવી ગયેલ છે જેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી છે.

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જીનલભાઈ બીપીનભાઈ કણસાગરાએ અગાઉ ચોટીલા પાસે એન્જોય હોટલ ભાડે રાખી હતી જેમાં ખોટ આવી હતી ત્યાર બાદ તેને મોરબીમાં ઉમિયાજી ફાસ્ટફૂડ શરૂ કર્યું હતું તે ધંધામાં પણ ખોટ આવી હતી જેથી કરીને તેના ઉપર દેણું વધી ગયું હતું જેથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને છેલ્લા દિવસોમાં તે અમદાવાદ, મહેસાણા, ઉજજેન મુંબઈ ગયો હતો જો કે તેની પાસે રહેલા રૂપિયા પૂરા થઈ જતાં તે તેની જાતે જ પાછો આવી ગયો છે.






Latest News