મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારની લજાઈ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE







ટંકારની લજાઈ ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ લજાઈ ચોકડી પાસેથી બાઈક લઈને જઈ રહેલા આધેડના બાઇકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેઓને માથામાં હેમરેજ જેવી ગંભીર થઇ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતકના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે મનસુખભાઈ ફેફરની વાડીએ રહેતા મૂળ કચ્છ જિલ્લાના કાનમેર ગામના રહેવાસી રજનીભાઈ નાનજીભાઈ વાઘેલા જાતે અનુ. જાતિ (૨૫)એ અજાણ્યા વાહન ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. ૧૮/૧/૨૪ ના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં તેના પિતા નાનજીભાઈ વાઘેલા પોતાનું બાઈક નંબર જીજે ૩૬ કયું ૫૦૩૨ લઈને લજાઈ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓના બાઈકને ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતાને માથામાં હેમરાજ જેવી ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના શનાળા ગામ પાસે આવેલ શ્રીજી એસ્ટેટમાં આર.પી. ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતો હોય ત્યાં કામ કરતો રાજકુમાર મનગોર કોલ (૨૩) નામનો યુવાન કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી રહ્યો હતો દરમિયાન તેને કોઈ કારણોસર તેને ઇજા થઈ હતી જેથી કરીને મોરબી શહેરના રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે તેને લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં સર્કિટ હાઉસની બાજુમાં આવેલ માળિયા ફાટક નજીક મારામારીના બનાવમાં તોફિકશા નજીરશા (૨૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી સારવાર માટે તેને તેના પત્ની હુસેનાબાનુ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળથી કાર્યવહી કરી હતી અને વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના રાજેશભાઈ ડાંગર ચલાવી રહ્યા છે






Latest News