ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ગરબા સાથે વેકસિનેશન કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં ગરબા સાથે વેકસિનેશન કેમ્પનું આયોજન

મોરબીમાં શેરી ગરબાની સાથેસાથે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે રક્ષણ મળી રહે તે માટે વેકસીનેશન કેમ્પનું આયોજન કરાયુ હતુ. મોરબીના શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ ગ્રીનવુડ, અક્ષર જ્યોત, ભવ્ય પેલેસ, પેસિફિક હાઇટ, ૬૦ ફૂટ રોડ અને રવાપર-ઘુનડા રોડ દ્વારા આયોજિત શેરી ગરબામાં કોરોના વેક્સીનેશન પ્રોગ્રામનું અયોજન કરવામા આવ્યુ હતુ.નવરાત્રી મહોત્સવ દરમિયાન વધુ લોકો એક જગ્યાએ એકત્રીત થતા હોય લોકોનું સ્વાસ્થ સારૂ રહે અને કોરોના સામે રક્ષણ મળે તે માટે ગરબાની સાથેસાથે વેક્સિનેશનનો પ્રોગ્રામ યોજાયો હતો.જેમા અંદાજે ૯૦ થી વધુ લોકોને વેક્સિન આપીને અન્ય લોકોને પણ વેક્સિન લેવા માટે ઉત્સાહિત કરાયા હતા. યુવા ઉધોગપતિ આશિષ રંગાપડિયા (એલવી ગ્રેનાઇટો) તેમજ તેમના મિત્રમંડળ દ્વારા આયોજન સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News