મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં સોમવારે તમામ કેસ જે તે સ્ટેજમાં રાખવા બાર એસો.એ કર્યો ઠરાવ


SHARE







મોરબીની કોર્ટમાં સોમવારે તમામ કેસ જે તે સ્ટેજમાં રાખવા બાર એસો.એ કર્યો ઠરાવ

અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કચેરીઓમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે શાળા અને કોલેજોમાં રાજા જાહેર કરવામાં આવી છે ત્યારે મોરબી બાર એસો. દ્વારા સોમવારે વકીલો અને પક્ષકારો કોર્ટમાં હાજર ન રહી સકે તો કેસને નુકશાન ન થાય તેવા હેતુથી જે તે સ્ટેજ ઉપર જ કેસને રાખવા ઠરાવ કરવામાં આવેલ છે અને તે ઠરાવ મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબને પણ મોકલાવવામાં આવેલ છે

મોરબી બાર એસો.ના સેક્રેટરીએ તેની યાદીમાં જણાવ્યુ છે કે, તા. ૨૨ ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે ત્યારે દેશભરમાં અનેક સ્થળોએ ધાર્મિક કાર્યક્રમમાં લોકો રોકાયેલ છે અને કોઈપણ કારણોસર વકીલો તેમજ પક્ષકારો કોર્ટમાં હાજર રહી સકે તેમ ન હોય જેથી વકીલો અને પક્ષકારો કેસમાં તેઓની ગેરહાજરીને કારણે કેસને નુકશાન ના થાય તે માટે જે તે સ્ટેજ પર રાખવા અને કોઈપણ કામમાં સ્ટેજ બંધ ન કરવા વિનંતી કરવામાં આવી છે અને આ અંગેનો ઠરાવ બાર એસો. દ્વારા કરીને તે ઠરાવ મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબને મોકલી આપવામાં આવેલ છે અને યોગ્ય કરવા વિનંતી કરવામાં આવી છે






Latest News