મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેનારા ઓપરેટરને એસીબીની ટીમે દબોચ્યો


SHARE







ટંકારામાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેનારા ઓપરેટરને એસીબીની ટીમે દબોચ્યો

દેશભરમાં પીએમ વિશ્વકર્મા યોજનાની અરજી વિનામૂલ્યે કરવામાં આવે છે જો કે, મોરબી જિલ્લાના ટંકારામાં તેના માટે ૨૦૦ રૂપિયા લેવામાં આવતા હતા જેથી કરીને એસીબીની ટીમે ટંકારામાં કોમન સર્વિસ સેન્ટર ચલાવતા યુવાને અરજી કરવાના ૨૦૦ રૂપિયા લેતાની સાથે જ તેને દબોચી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ દ્વારકાધીશ કોમ્પ્લેક્ષમાં દુકાન નંબર-૧૦મા કોમન સર્વિસ સેન્ટર (C.S.C) ચલાવતા મૂળ નાનાખિજડીયા ગામના રહેવાસી અને હાલમાં ટંકારાની લક્ષ્મીનારાયણ નગર સોસાયટી નંબર-૫ માં ભાડાના મકાનમાં રહેતા જીતેન્દ્રકુમાર પ્રવિણભાઇ ચોહાણ (૩૮)ને વિનામુલ્યે કરવાની અરજી માટે ૨૦૦ રૂપિયા લેતા ઝડપી લેવામાં આવેલ છે વધુમાં માહિતી આપતા અધિકારી જણાવ્યુ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થયેલ પી.એમ. વિશ્વકર્મા યોજનાઅંતર્ગત અરજી કરવા આવતા અરજદારોને ઓનલાઇન અરજી કરવા માટે આ શખ્સ દ્વારા ૨૦૦ રૂપિયા લેવામાં આવતા હતા તેવી જ રીતે એક અરજદાર પાસેથી રૂપિયા લેતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને ઝડપી લીધો હતો આ કામગીરી પીઆઇ એચ.એમ. રાણા દ્વારા સુપરવિઝન અધિકારી વી.કે. પંડ્યા (મદદનીશ નિયામક-રાજકોટ) વાળા દ્વારા કરવામાં આવી હતી






Latest News