ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ ૨૨ મી જાન્યુઆરીએ સરકારી કચેરીમાં રજાની કરી માંગ


SHARE











મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ ૨૨ મી જાન્યુઆરીએ સરકારી કચેરીમાં રજાની કરી માંગ

આગામી ૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે આ ક્ષણને સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારી અને કામચરી પણ તેઓના પરિવાર સાથે માણી શકે તે માટે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને ૨૨ મી જાન્યુઆરીના રોજ રાજ્યની સરકારી કચેરીઓમાં રજાની માંગ કરેલ છે તે ઉપરાંત મોરબી અને હળવદના ધારાસભ્યએ તો તે દિવસે માસ-મદિરાના વેચાણ ઉપર પ્રતિબંધની પણ માંગ કરી છે.

મોરબી જિલ્લાની મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવેલ છે જેમાં લખ્યું છે કે, આગામી તા ૨૨ મી જાન્યુયારીના દિવસે ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે ઐતિહાસિક દિવસે સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીમાં રજા રાખવામા આવેલ તેવી માંગ કરી છે તેમજ મોરબી અને હળવદના ધારાસભ્યે તો રાજ્યમાં તે દિવસે માસ અને મદિરાનું વેચાણ બંધ રાખવા તાત્કાલિક પ્રતિબંધાત્મક આદેશ કરવાની માંગ કરી છે






Latest News