મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદમાં ત્રણ સગાભાઈ ઉપર હુમલો કરીને એકની હત્યા કરવાના ગુનામાં ત્રણ શખ્સોની સામે નોંધાયો ગુનો


SHARE







હળવદમાં ત્રણ સગાભાઈ ઉપર હુમલો કરીને એકની હત્યા કરવાના ગુનામાં ત્રણ શખ્સોની સામે નોંધાયો ગુનો

હળવદ શહેરમાં ગોરી દરવાજા પાસે ત્રણ સગા ભાઇઓની ઉપર મંગળવારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા ત્રણેય ભાઈઓને સારવાર માટે પ્રથમ હળવદ ત્યાર બાદ મોરબી અને ત્યાંથી રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જો કે, સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટયો હતો અને હાલમાં ઇજા પામેલા યુવાને ત્રણ શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગતો મુજબ હળવદના નવા ઇસનપુર ગામે રહેતા રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૮) તેના ભાઈ જયદીપભાઇ ખોડાભાઈ સોનાગ્રા (૨૬) અને હિરેનભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૪) ઉપર હળવદના ગોરી દરવાજા પાસે મંગળવારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ગંભીર રીતે ઇજા પામેલા ત્રણેય ભાઈઓને હળવદમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન રવિભાઈ ખોડાભાઈ સોનાગ્રા (૨૮)નું મોત નીપજયું હતું અને તેના ભાઈ હિરેનભાઈ ખોડાભાઈ સોનાગ્રાને રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ બનાવમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જયદીપભાઇ ખોડાભાઈ સોનાગ્રા દ્વારા નટુભાઇ ઉર્ફે દાઢી ડુંગરભાઇ પરમારમ સાહીલ નટુભાઇ ઉર્ફે દાઢી પરમાર અને એક અજાણ્યો માણસ આમ કુલ મળીને ત્રણ શખ્સોની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી નટુભાઇએ તેના ભાઈ રવિભાઈ સોનાગ્રા સાથે સેંટિંગના કામ બાબતે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યાર બાદ ત્યાંથી તે જતો રહ્યો હતો અને ત્યાર પછી હાથમાં લોખંડના સળિયા અને ખાંપરી લઈને ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યારે રવિભાઈ અને હિરેનભાઈ સાથે ઝઘડો કરીને ગાળી આપી હતી અને લોખંડના સળિયા અને ખાંપરી વડે માર માર્યો હતો તેમજ નટુભાઇએ તેની પાસે રહેલ છરીના રવિભાઈ અને હિરેનભાઈને પીઠના ભાગે ઘા માર્યા હતા તેમજ ફરિયાદીને અન્ય બે આરોપીઓએ ખાંપરી અને સળિયા વડે માર માર્યો હતો જેથી કરીને હાલમાં જયદીપભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૦૭, ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૨૦(બી), ૩૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News