ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

રામમય ગામ: ટંકારાના નાના રામપર-હડમતીયા ગામે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમો યોજાશે


SHARE











રામમય ગામ: ટંકારાના નાના રામપર-હડમતીયા ગામે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમો યોજાશે

ટંકારા તાલુકાના નાના રામપર ગામમાં આગામી તા. ૨૧ અને ૨૨ જાન્યુઆરીના રોજ શ્રી રામજી મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે આવી જ રીતે હડમતિયા ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે શોભાયાત્રા, લોકડાયરો, મહાપ્રસાદ સહિતના આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

નાના રામપર ગામે વસતા ભગવાનજીભાઈ ભીખાભાઈ કાલરીયા, સવિતાબેન ભગવાનજીભાઈ કાલરીયાના નિવાસસ્થાને બે દિવસીય ભવ્ય શ્રી રામજી મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તા. ૨૧ ને રવિવારે સવારે ૦૭ : ૩૦ કલાકે મહાયજ્ઞ, બપોરે ૦૨ : ૩૦ કલાકે શોભાયાત્રા યોજાશે તેમજ તા. ૨૨ ને સોમવારે સવારે મહાયજ્ઞ બાદમાં મૂર્તિ અભિષેક અને બપોરે બીડું હોમાશે ઉપરાંત તા. ૨૨ ને સોમવારે રાત્રે ૯ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે જે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા કાલરીયા પરિવારે જણાવ્યું છે

હડમતિયા ગામ

ટંકારાના હડમતિયા ગામે અયોધ્યામાં યોજાઇ રહેલ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તા- ૨૧ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રાસગરબા, તા ૨૨ ના રોજ સવારે ૫ થી ૭ પ્રભાતિયા, ૮થી ૧૧ શ્રી રામ ભગવાનની શોભાયાત્રા, ૧૧ થી ૧:૦૦ રામજી મંદિરે મહાઆરતી, બપોરે ૩ થી પ સુંદર કાંડ, પ વાગ્યાથી મહાપ્રસાદ અને રાતે ૯:૦૦ કલાકે લોક ડાયરો યોજાશે જેમાં લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા જમાવટ કરશે તેમજ ૨૨ તારીખે ઘરે ઘરે રંગોળી કરવી, આસોપાલવના તોરણ બાંધવા, બપોરે ઘરે લાપસી કરવામાં આવશે અને હડમતિયા ગામે શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળશે તેના માટે બધા ગ્રામજનો હાજર રહે સમસ્ત હડમતિયા ગામ તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News