મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

રામમય ગામ: ટંકારાના નાના રામપર-હડમતીયા ગામે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમો યોજાશે


SHARE







રામમય ગામ: ટંકારાના નાના રામપર-હડમતીયા ગામે બે દિવસીય જુદાજુદા કાર્યક્રમો યોજાશે

ટંકારા તાલુકાના નાના રામપર ગામમાં આગામી તા. ૨૧ અને ૨૨ જાન્યુઆરીના રોજ શ્રી રામજી મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે આવી જ રીતે હડમતિયા ગામે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે શોભાયાત્રા, લોકડાયરો, મહાપ્રસાદ સહિતના આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

નાના રામપર ગામે વસતા ભગવાનજીભાઈ ભીખાભાઈ કાલરીયા, સવિતાબેન ભગવાનજીભાઈ કાલરીયાના નિવાસસ્થાને બે દિવસીય ભવ્ય શ્રી રામજી મંદિર ભાવ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં તા. ૨૧ ને રવિવારે સવારે ૦૭ : ૩૦ કલાકે મહાયજ્ઞ, બપોરે ૦૨ : ૩૦ કલાકે શોભાયાત્રા યોજાશે તેમજ તા. ૨૨ ને સોમવારે સવારે મહાયજ્ઞ બાદમાં મૂર્તિ અભિષેક અને બપોરે બીડું હોમાશે ઉપરાંત તા. ૨૨ ને સોમવારે રાત્રે ૯ કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે જે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા કાલરીયા પરિવારે જણાવ્યું છે

હડમતિયા ગામ

ટંકારાના હડમતિયા ગામે અયોધ્યામાં યોજાઇ રહેલ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તા- ૨૧ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રાસગરબા, તા ૨૨ ના રોજ સવારે ૫ થી ૭ પ્રભાતિયા, ૮થી ૧૧ શ્રી રામ ભગવાનની શોભાયાત્રા, ૧૧ થી ૧:૦૦ રામજી મંદિરે મહાઆરતી, બપોરે ૩ થી પ સુંદર કાંડ, પ વાગ્યાથી મહાપ્રસાદ અને રાતે ૯:૦૦ કલાકે લોક ડાયરો યોજાશે જેમાં લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા જમાવટ કરશે તેમજ ૨૨ તારીખે ઘરે ઘરે રંગોળી કરવી, આસોપાલવના તોરણ બાંધવા, બપોરે ઘરે લાપસી કરવામાં આવશે અને હડમતિયા ગામે શ્રી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળશે તેના માટે બધા ગ્રામજનો હાજર રહે સમસ્ત હડમતિયા ગામ તરફથી આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News