મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાંથી બે દીકરીઓ સાથે ત્રણ વર્ષ પૂર્વે ગુમ થયેલ મહિલા દિલ્હીમાં હોવાનું ખુલ્યુ


SHARE







મોરબીમાંથી બે દીકરીઓ સાથે ત્રણ વર્ષ પૂર્વે ગુમ થયેલ મહિલા દિલ્હીમાં હોવાનું ખુલ્યુ

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના ઓએસિસ વિટ્રીફાઈડના લેટર લેબર ક્વાર્ટરમાં વર્ષ-૨૦૨૦ માં મજુર પરિવાર રહેતો હતો અને મજૂર પરિવારના પૂજાબેન કમલસિંહ પ્રહલાદસિંહ ચૌહાણ (ઉમર ૨૭) તેમની બે પુત્રી પૂનમ કમલસિંહ (ઉમર ૪) તેમજ બેબીકા કમલસિંહ (ઉમર દોઢ વર્ષ) ને લઈને પૂજાબેન ગત તા.૪-૧-૨૦ ના રોજ ઘરેથી કોઈને કંઇ કહ્યા વિના ચાલ્યા ગયા હતા.જે બાબતે જે તે સમયે ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન તપાસ અધિકારી મનીષભાઈ બારૈયાએ કરેલ તપાસમાં હાલમાં સામે આવ્યું હતું કે, ગુમ થયેલા પૂજાબેન તેમની બે પુત્રીઓ પૂનમ અને બેબીકાને લઈને દિલ્હી ચાલ્યા ગયા હતા અને ત્યાં ગોવિંદ હીરાલાલ યાદવ રહે.પલવલ તાલુકો ખોડલ જી.નુંહ દિલ્હી વાળા સાથે રહેતા હોવાનું સામે આવ્યું હતું અને તેઓ ત્યાં જ રહેવા ઇચ્છતા હોય અને પરત આવવા ઇચ્છતા ન હોવાનું પોલીસમાં નિવેદનમાં સામે આવેલ હોય આ બાબતે પોલીસને નોંધ કરી રાબેતા મુજબની તપાસ હાથ ધરી હતી.

મારામારીના બનાવમાં ઈજા થતાં ત્રણ યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મારામારીના જુદા જુદા ત્રણ બનાવો બન્યા હતા અને મારામારીના બનાવોમાં ઈજા પામેલા ત્રણ યુવાનોને સારવારમાં ખસેડાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.જેમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે કુબેર ટોકીઝ પાછળ આવેલ લક્ષ્મી સોસાયટીમાં રહેતા સોનુસિંગ પ્રકાશસિંગ શેખાવત નામના ૪૨ વર્ષના યુવાનને તેના ઘર નજીક ગઈકાલ બપોરના એકાદ વાગ્યાના અરસામાં મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અને બનાવ અંગે જાણ થતા હિતેશભાઈ મકવાણાએ પ્રાથમિક તપાસ કરી હતી.

તે રીતે જ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા અમિત જયંતીભાઈ વરાણીયા નામના ત્રીસ વર્ષના યુવાનને તેના રહેણાંક મકાન નજીક કોઈ બાબતે થયેલ મારામારીના બનાવવામાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જે બાબતે પણ નોંધ આવતા હિતેશભાઈએ નોંધ કરીને તપાસ હાથ ધરી હતી.

તેમજ મારામારીનો ત્રીજો બનાવ મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ સ્મશાન નજીક બન્યો હતો.જે મારામારીના બનાવમાં સકીલ રસીદખાન શાહ (ઉંમર ૧૯) રહે.એન્જલ સિરામિક ઘુંટુ રોડ મોરબી-૨ વાળાને ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો અને આ બનાવ અંગે ત્યાંથી જાણ થવાથી બી ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.મકવાણા દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરાઈ હતી.






Latest News