ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીની સમાપન સમારોહ યોજાયો


SHARE











મોરબી જીલ્લામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીની સમાપન સમારોહ યોજાયો

મોરબીની ન્યુ એલ.ઇ. કોલેજ ખાતે વન્યપ્રાણી સપ્તાહ સમાપન કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધ્યક્ષ સ્થાને નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન (I.F.S.) હાજર રહ્યા હતા તેમજ મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, એલ.ઇ.કોલેજના પ્રિન્સીપાલ એસ.એન.પંડ્યા તથા મયુર નેચર ક્લબના પ્રમુખ એમ,જી. મારૂતી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં એલ.ઇ.કોલેજના પ્રિન્સિપાલ એસ.એન.પંડ્યાપ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું અને મોરબી વન વિભાગના વડા ચિરાગ અમીન ( I.F.S. ) દ્વારા મોરબી જીલ્લાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતી અને તેને કારણે કુદરતી મળેલ જૈવ વૈવિધ્યતાની પ્રાથમિક માહિતી આપી હતી સાથે સાથે કોરોના જેવી ઝુનોટીક બિમારીઓના ઉદભવ પણ વન્યજીવોના અસ્તિત્વ પર તોળાઇ રહેલા ખતરાના કારણરૂપ છે તેમ જણાવ્યું હતુ તઓએ તેમના વ્યક્તવ્યમાં પ્રધાનમંત્રી દ્વારા વન્યજીવોના સંરક્ષણ અર્થે પાઠવેલ સંદેશનુ વાંચન કર્યુ હતુ  ત્યારબાદ વન્યપ્રાણી સપ્તાહ દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓની વિજેતા બાળાઓને મહેમાનોના વરદહસ્તે સ્મૃતિચિન્હ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા






Latest News