રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે પટેલ સમાજની વાડીમાં હિમોગ્લોબિન-કેન્સર જાગૃતિનો સેમિનાર યોજાશે


SHARE











મોરબીના શનાળા ગામે પટેલ સમાજની વાડીમાં હિમોગ્લોબિન-કેન્સર જાગૃતિનો સેમિનાર યોજાશે

મોરબી નજીકના શક્ત શનાળા ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે હિમોગ્લોબિન-કેન્સર જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૧૨ જાન્યુઆરીના રોજ રાતે ૮:૩૦ કલાકે આ કાર્યક્રમ યોજાવાનો છે

શનાળા ગામે આવેલ પટેલ સમાજમાં યોજાનરા કાર્યક્રમમાં ઓન્કોલોજીસ્ટ/ હેમેટોલોજીસ્ટ ડો. ભાણજીભાઈ કુંડારિયા દ્વારા આપણા રોજિંદા જીવનમાં હિમોગ્લોબિનના મહત્વ વિશે અને કોઈપણ પ્રકારના કેન્સર કેવી રીતે અટકાવવા તે વિશે સલાહ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. કુંડારિયા કેલિફોર્નિયાના સાન્ટા મારિયામાં ઓન્કોલોજીસ્ટ છે અને એટ્રિયમ હેલ્થ કેરોલિનાસ મેડિકલ સેન્ટર અને મેકલિઓડ રિજનલ મેડિકલ સેન્ટર સહીત વિસ્તારની બહુવિધ હોસ્પિટલો સાથે જોડાયેલા છે. તેમણે બી.જે.મેડીકલ કોલેજ, અમદાવાદમાંથી તેમની મેડીકલ ડિગ્રી પ્રાપ્ત કરી અને ૪૫ વર્ષથી વધુ સમયથી પ્રેક્ટિસમાં છે. તેમજ પોતાની માતૃભૂમિને મદદ કરવા તેમણે રાજકોટમાં કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી છે. આ આરોગ્યની જાગૃતિને લગતા કાર્યક્રમમાં વધુને વધુ લોકોને જોડાવવા જણાવવામાં આવ્યું છે.






Latest News