તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં જમીન ઉપર બિન અધિકૃત કબ્જો કરવાના કેસમાં કોર્ટે પાંચ આરોપીઓનો નિર્દોષ છુટકારો કર્યો


SHARE











મોરબીમાં વર્ષ ૨૦૧૮ માં જમીન ઉપર બિન અધિકૃત કબ્જો કરવાના કેસમાં કોર્ટે પાંચ આરોપીઓનો નિર્દોષ છુટકારો કર્યો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૮ માં ગુનો નોંધાયો હતો જેમાં જમીન ઉપર ફેન્સીંગ વાળ તોડીને ગેરકાયદેસર કબ્જો જમવામા આવ્યો હતો અને ફરિયાદી પક્ષને ગાળો ભાંડીને જાનથી મારી નાંખવાની ધમકી આપવા સબબ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને પાંચેય આરોપીઓનો નિર્દોષ છુટકારો કર્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ષ ૨૦૧૮ આઈપીસી કલમ ૪૪૭, ૪૨૭, ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ફોજદારી હુનો નોંધાયો હતો જે કેશમાં ગુન્હાના પાંચેય આરોપીઓનો કોર્ટે નીર્દોષ છુટકારો કરેલ છે.બનાવની ટુંક વિગત એવી છે કે તા.૮-૧-૧૮ ના રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદી હુશેનભાઈ અભરામભાઈ સુમરાએ આરોપી તરીકે અબ્દુલભાઈ ઉર્ફે અબુ હાજીભાઈ જેડા, સુભાનભાઈ અલારખાભાઈ જેડા, ઈદ્રીશભાઈ મેપાભાઈ જેડા,  ગુલજારભાઈ ઈસાકભાઈ મોવર અને નીઝામભાઈ કરીમભાઈ જેડા વિરૂધ્ધ ઉપરોકત કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી જેમા જણાવ્યું હતુ કે, તેમની કાયદેસરની માલીકીની કબ્જા ભોગવટાની જમીનમાં આ કામના આરોપીઓએ ગેરકાયદેસર રીતે જમીનમાં ઘુસી તાર ફેન્સીંગ તોડી નુકશાન કરી બીન અધિકૃત રીતે પ્રવેશ કરી જમીન પચાવી પાડવાના ઈરાદે બળજબરીથી દાદાગીરીથી ધાક ધમકી આપી તે જમીનમાં બીનઅધિકૃત બાંધકામ કરતા ફરીયાદીએ આરોપીઓને જમીન ખાલી કરવા કહેવા જતા આ કામના આરોપીઓએ ફરીયાદી હુશેનભાઇને ભુંડી ગાળો આપી તેમજ ફરીયાદી તથા તેમના પરીવારને જાનથી મારી નાખવાની ઘમકી આપેલ હોવાની ફરીયાદ દાખલ કરેલ જે મુજબ આરોપીઓની ધરપકડ કરી ત્યારબાદ તપાસ કરી અદાલતમાં ચાર્જશીટ દાખલ કરતા સદર ફોજદારી કેસ એમ.જે.ખાન સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપીઓ અબ્દુલભાઈ ઉર્ફે અબુ હાજીભાઈ જેડા, સુભાનભાઈ અલારખાભાઈ જેડા, ઈદ્રીશભાઈ મેપાભાઈ જેડા, ગુલજારભાઈ ઈસાકભાઈ મોવર, નીઝામભાઈ કરીમભાઈ જેડા, આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આરોપીઓ અબ્દુલભાઈ ઉર્ફે અબુ હાજીભાઈ જેડા, સુભાનભાઈ અલારખાભાઈ જેડા, ઈદ્રીશભાઈ મેપાભાઈ જેડા, ગુલજારભાઈ ઈસાકભાઈ મોવર, નીઝામભાઈ કરીમભાઈ જેડાના તરફે વકીલ મનીષ પી.ઓઝા (ગોપાલ ઓઝા) તથા એડવોકેટ કુ.મેનાઝ એ.પરમાર રોકાયેલા હતા બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી આરોપીઓ અબ્દુલભાઈ ઉર્ફે અબુ હાજીભાઈ જેડા, સુભાનભાઈ અલારખાભાઈ જેડા, ઈદ્રીશભાઈ મેપાભાઈ જેડા, ગુલજારભાઈ ઈસાકભાઈ મોવર અને નીઝામભાઈ કરીમભાઈ જેડાને ચીફ કોર્ટ જજ સાહેબે આરોપીઓને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.






Latest News