મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીમાં બિલ પાસા કરવા લાંચ માંગવાના કેસમાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE











મોરબીમાં બિલ પાસા કરવા લાંચ માંગવાના કેસમાં પકડાયેલા આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીમાં રોડના કામના બિલ મંજુર કરવાના બદલામાં કમિશન પેટે લાંચ માંગવામાં આવી હતી અને મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના આસિસ્ટન્ટ ઈજનેર લાંચના છટકામાં આવી ગયેલ હોઈ આ કામમા તેના પિતાની મોરબી પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવેલ હતી તેઓએ મોરબીના વિદ્વાન વકીલ ફેનિલ જે. ઓઝા મારફત જમીન અરજી મૂકી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કરેલ છે.

મોરબી જિલ્લા પંચાયતમા આસીસ્ટન્ટ એન્જીનિયર, માર્ગ અને મકાન પેટા વિભાગ હળવદ જી. મોરબી. વર્ગ-૩ મા ફરજ બજાવતા કર્મચારીના પિતા પી.એમ. આંગડીયા પેઢી મોરબીના કર્મચારીના પાસેથી રૂપિયા બે લાખની લાંચ લેવા જતા એસીબીના છટકામાં આવી ગયા હતા.જે કેસની વિગત એવી હતી કે, ગુજરાત કન્ટ્રકશન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જીલ્લા પંચાયત હસ્તક પી.એમ.જી.એસ.વાય. યોજનાના માળીયા મિયાણા તાલુકાના રાંસંગપર સ્ટેટ હાઇવે થી રાંસંગપર, નવાગામ, મેધપર, દેરાળાથી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળીયા ડબલપટ્ટી રોડ સુધીના વિસ્તારનુ ૧૯.૬  કિ.મી.નુ ડામર રોડનુ કામ કરતા હોય જે થયેલ કામના રૂપિયા ૩.૪૦ કરોડનુ બીલ મંજુર થવા મોકલતા જે બીલની ફાઇલ મંજુર કરવા માટે આરોપીએ તેના અભિપ્રાય સાથે મોકલવાની હોય તે બીલની ફાઇલ મા અભિપ્રાય નહી આપતા સાહેદ પોપટભાઇ આક્ષેપીતને રૂબરૂ મળતા આક્ષેપીતએ પોતાને ૦.૭૫ ટકા લેખે વહિવટની માંગણી કરેલનો પોલીસનો આક્ષેપ છે જે કામે પકડાયેલ ચકચારી ગુનાના આરોપીના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી જેમાં વકીલ ફેનિલ જે. ઓઝાએ મોરબી સેશન્સ કોર્ટમાં દલીલ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજુર કરેલ છે આ કેસમાં આરોપી તરફે  મોરબીના વકીલ ફેનિલ જે. ઓઝા, દેવ  કે. જોષી, શહેનાઝબેન ડી. સુમરા તથા લેખરાજ ગઢવી રોકાયા હતા.






Latest News