વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સ્ટેશન બનાવવા સરકારી જમીન ખુલ્લી કરાવવા તજવીજ: સ્થાનિકોએ મકાન ફાળવવા કરી માંગ


SHARE











મોરબીમાં ફાયર સ્ટેશન બનાવવા સરકારી જમીન ખુલ્લી કરાવવા તજવીજ: સ્થાનિકોએ મકાન ફાળવવા કરી માંગ

મોરબીના મહેન્દ્રનગર ગામના સરકારી ખરાબામાં દબાણ કરવામાં આવ્યું છે તે દબાણને દૂર કરીને ત્યાં ફાય સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ત્યાં દબાણ કરનારાઓને નોટિસ આપવામાં આવી છે ત્યારે સ્થાનિક લોકોએ તેઓ ત્યાં વર્ષોથી રહે છે તેના પુરાવા સાથે કલેકટરને આવેદનપત્ર આપીને તેઓને સરકારના નિયમ મુજબ મકાન ફાળવવા માટેની માંગ કરી છે

મોરબીના વોર્ડ નં-૨ માં આવતા ભારતનગર મફતિયાપરા કે વિસ્તાર મોરબીના સર્કીટ હાઉસ સામે આવેલ છે ત્યાં સરકારી ખરાબાની જમીન ઉપર છેલ્લા ઘણા વર્ષોથી અનેક પરિવાર રહે છે તેઓને હાલમાં તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે ત્યારે સ્થાનિક લોકોએ આ મુદે કલેકટરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, ૩૦ જેટલા પરિવારો વર્ષોથી ત્યાં રહે છે અને તે વિસ્તાર પહેલા જુના મહેન્દ્રનગરની હદમાં આવતો હતો જો કે, હવે તે મોરબી પાલિકાની હદમાં આવે છે ત્યારે પાલિકાએ ફાયર સ્ટેશન બનાવવા માટે સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નં ૧૫૬૧/૧ ની જમીન ૮૦૦૦ ચોરસ મીટર જગ્યા માંગી છે જેથી કરીને ત્યાં રહેતા લોકોને દબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે અહિયાં મોટાભાગે બક્ષીપંચ, ચુંવાળીયા કોળી અને અન્ય સમાજના લોકો રહે છે ત્યારે તેઓના મકાન તોડી નાખવામાં આવે તો તે બેઘર બની જશે જેથી કરીને તેઓની પાસે મકાનના વેરા, લાઈટ બીલ અને રેશનકાર્ડ જેવા આધાર પુરાવા છે તે રજૂ કરીને આ પરિવારોને સરકારની કોઈ પણ યોજના હેઠળ મકાન આપવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News