મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં વૈદિક શ્લોક-યજ્ઞ વિધિ દ્વારા તુલસી દિવસ ઉજવાયો


SHARE







મોરબીની નીલકંઠ સ્કૂલમાં વૈદિક શ્લોક-યજ્ઞ વિધિ દ્વારા તુલસી દિવસ ઉજવાયો

સમગ્ર વિશ્વ ભારતની પ્રાચીન સંસ્કૃતિને સ્વીકારીને અનુસરવાનું શરૂ કર્યું છે. ત્યારે ભારતના નાગરિકોએ મોડર્ન દેખાવાની સ્પર્ધામાં વિદેશી સંસ્કૃતિનો સ્વીકાર કરતા થયા છે. ત્યારે વિદેશી સંસ્કૃતિમાંથી આઝાદી મેળવિને ભારતની પ્રાચીન સંસ્કૃતિના પુનરૂત્થાન અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કામ કરવાની જરૂર છે ત્યારે વિદ્યાર્થીઓ થકી સમાજને એક અનેરો સંદેશો આપવા ૨૫  ડિસેમ્બરને સોમવારના રોજ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા તુલસી પૂજનનું આયોજન કરેલ હતું ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તુલસીના છોડનું પૂજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ કરીને તુલસીની આરતી કરી હતી. આ તકે નીલકંઠ સ્કૂલ અને SK SAVE SOIL LLP કે જે ઓર્ગેનિક ખાતરનાં ઉત્પાદનકર્તા છે તેનાં સંયુક્ત ઉપક્રમે સેવ સોઈલ, સેવ લાઈવ્સના હેતુ ને સાર્થક કરવા વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો હેતુ વિદ્યાર્થી રાસાયણિક ખાતરની જમીન પર થતી આડ અસર અને ઓર્ગેનિક ખાતરથી થતા ફાયદા બાબતે માહિતગાર બને તે હતો વધુમાં તુલસીના પૂજનના અનેક  ફાયદાઓ થાય છે જેવા કે, ખરાબ વિચારો દુર થાય છે, પોઝિટિવ ઊર્જાનો સંચાર થાય છે, સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, અનેક પાપો નષ્ટ થાય છે, ભય અને ક્રોધ દૂર થાય છે અને તુલસીનો છોડ ઔષધિ માટે પણ ઉપયોગી છે આવા અનેક ઉદેશ્યથી વિદ્યાર્થીઓએ સમાજ સુધી સારો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ કર્યો હતો. તેવું ત્યાના સંચાલક જીતુભાઈ વડસોલાએ માહિતી આપતા જણાવ્યુ છે






Latest News