મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં વૈદિક શ્લોક-યજ્ઞ વિધિ દ્વારા તુલસી દિવસ ઉજવાયો


SHARE











મોરબીની નીલકંઠ સ્કૂલમાં વૈદિક શ્લોક-યજ્ઞ વિધિ દ્વારા તુલસી દિવસ ઉજવાયો

સમગ્ર વિશ્વ ભારતની પ્રાચીન સંસ્કૃતિને સ્વીકારીને અનુસરવાનું શરૂ કર્યું છે. ત્યારે ભારતના નાગરિકોએ મોડર્ન દેખાવાની સ્પર્ધામાં વિદેશી સંસ્કૃતિનો સ્વીકાર કરતા થયા છે. ત્યારે વિદેશી સંસ્કૃતિમાંથી આઝાદી મેળવિને ભારતની પ્રાચીન સંસ્કૃતિના પુનરૂત્થાન અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કામ કરવાની જરૂર છે ત્યારે વિદ્યાર્થીઓ થકી સમાજને એક અનેરો સંદેશો આપવા ૨૫  ડિસેમ્બરને સોમવારના રોજ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા તુલસી પૂજનનું આયોજન કરેલ હતું ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તુલસીના છોડનું પૂજન કરવામાં આવ્યું હતું અને યજ્ઞ કરીને તુલસીની આરતી કરી હતી. આ તકે નીલકંઠ સ્કૂલ અને SK SAVE SOIL LLP કે જે ઓર્ગેનિક ખાતરનાં ઉત્પાદનકર્તા છે તેનાં સંયુક્ત ઉપક્રમે સેવ સોઈલ, સેવ લાઈવ્સના હેતુ ને સાર્થક કરવા વિદ્યાર્થીઓને ઓર્ગેનિક ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો હેતુ વિદ્યાર્થી રાસાયણિક ખાતરની જમીન પર થતી આડ અસર અને ઓર્ગેનિક ખાતરથી થતા ફાયદા બાબતે માહિતગાર બને તે હતો વધુમાં તુલસીના પૂજનના અનેક  ફાયદાઓ થાય છે જેવા કે, ખરાબ વિચારો દુર થાય છે, પોઝિટિવ ઊર્જાનો સંચાર થાય છે, સારુ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, અનેક પાપો નષ્ટ થાય છે, ભય અને ક્રોધ દૂર થાય છે અને તુલસીનો છોડ ઔષધિ માટે પણ ઉપયોગી છે આવા અનેક ઉદેશ્યથી વિદ્યાર્થીઓએ સમાજ સુધી સારો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ કર્યો હતો. તેવું ત્યાના સંચાલક જીતુભાઈ વડસોલાએ માહિતી આપતા જણાવ્યુ છે






Latest News