બિગ અપસેટ: માળીયા (મી) નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી કોઈએ સેન્સ ન આપી ! મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની કુલ 255 પૈકી 231 બેઠકો માટે ભાજપમાંથી 1007 આગેવાનો કરી ટિકિટની દાવેદારી અધધધ... મોરબી મહાપાલિકાની 52 બેઠક માટે પાલિકાના માજી સભ્યો, મહિલા સભ્યોના પતિ, સિરામિક એસો.ના પ્રમુખ સહિત 427 દાવેદાર મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે બેંકના એટીએમ પાસે કોઈ કારણોસર યુવાનનું મોત


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે બેંકના એટીએમ પાસે કોઈ કારણોસર યુવાનનું મોત

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ બેંકના એટીએમ પાસે કોઈ કારણોસર યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ કેશોદનો રહેવાસી યુવાન હાલ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે રહેતો હતો અને કોઈ કામ ધંધો કરતો ન હોય ભિક્ષાવૃત્તિ કરતો હતો દરમિયાન મહેન્દ્રનગર ગામ પાસે આવેલ બેન્ક ઓફ બરોડાના એટીએમ પાસે કોઈ કારણોસર તે યુવાનનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને મૃતક યુવાન પુનીતભાઈ કાંતિભાઈ ભાલોડીયા (૩૭) ના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી આ બનાવની મોરબ બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે

મહિલા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ આંબેડકર કોલોની ખાતે રહેતા રમીલાબેન જગદીશભાઈ સોલંકી (૪૫) નામની મહિલાને ઘરે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેના પતિ જગદીશભાઈ તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે






Latest News