મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

દ્વારકામાં યોજાનાર આહીરાણી મહારાસની ભોજાબાપા મકવાણા-રામબાઈ માતાજી મંદિરે આમંત્રણ પત્રિકા અપાઈ


SHARE











દ્વારકામાં યોજાનાર આહીરાણી મહારાસની ભોજાબાપા મકવાણા-રામબાઈ માતાજી મંદિરે આમંત્રણ પત્રિકા અપાઈ

આગામી તા. ૨૩ અનર ૨૪ ડીસેમ્બરના  રોજ દ્વારકા ખાતે આહીરાણી મહારાસ યોજાનાર છે ત્યારે મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે ભોજાબાપા મકવાણાના મંદિરે મહારાસની આમંત્રણ પત્રીકા  આપવા માટે મહારાસના અધ્યક્ષ કલ્પનાબેન જરું, ડૉ.હર્ષાબેન મોર, નીતાબેન હુંબલ, ભારતીબેન વારોતરિયા તેમજ દરેક ગામમાંથી બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે મોટા દહીસરા મુકામે  મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળના ઉપપ્રમુખ રમેશભાઈ હુંબલ અને આહીર સમાજ મોટા દહીસરાના ભાઈઓ અને બહેનો દ્વારા આવેલ મહેમાનોનુ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતું આ તકે મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળના  સભ્યો અજયભાઈ ડાંગરરાજેશભાઈ મંઢ, વિજયભાઈ કાનગડ, વિજયભાઈ હુંબલ, પ્રદિપભાઈ કુવાડીયા, રમેશભાઈ છૈયા તેમજ વિનોદભાઈ મકવાણા વિશેષ હાજર રહ્યા હતા તેમજ વવાણીયા ગામે માતૃશ્રી રામબાઈ માતાજી ના ચરણોમા પણ આમંત્રણ પત્રીકા મૂકીને આમંત્રણ આપવામા આવ્યુ હતું ત્યારે રામબાઈ મા મંદિરધામ ટ્રસ્ટ દ્રારા પણ  ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું હતું અને ત્યારે રામબાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ રાઠોડ દ્વારા મહારાસના અધ્યક્ષ કલ્પનાબેન જરુનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રામબાઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ જશુભાઈ દ્વારા ૧૧ હજારનું યોગદાન આપવામાં આવ્યું છે અને મહંત પ્રભુદાસ બાપુએ આશીર્વચન પાઠવ્યા હતા.






Latest News