મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી નજીકના વાવડી ગામે જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘનું પાંચમું અધિવેશન યોજાયું


SHARE











મોરબી નજીકના વાવડી ગામે જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘનું પાંચમું અધિવેશન યોજાયું

મોરબી નજીકના વાવડી ગામે મોરબી જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘનું પાંચમું શૈક્ષણિક અધિવેશન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર મોરબી જીલ્લામાંથી ૧૦૩ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્ધાટક એવા ગુજરાત રાજ્ય ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ અને મહામંત્રી સુનીલભાઈ જોશી તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સર્વધર્મ પ્રાર્થના કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ તકે સમગ્ર ગુજરાતમાંથી જિલ્લા ઘટક સંઘના પ્રમુખ અને મંત્રીઓ હાજર રહ્યા હતા. ત્યારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત મોરબી જિલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડિયાએ કર્યું હતુ ત્યાર બાદ નિવૃત થયેલા કર્મચારીઓને સાલ, પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરીને નિવૃત્તિકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ કર્મચારીને સાલ, પુષ્પગુચ્છ, અને પ્રશસ્તિપત્ર અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ મહેમાનો દ્વારા ધો. ૧૦ અને ૧૨ મા ઉચ્ચ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના યજમાન દાતા અજયભાઈ લોરિયા તેમજ કેમ્પસના ચેરમેન કે.આર. પડસુંબિયાનું શિલ્ડ અને મોમેન્ટો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી. અંબારિયા શિક્ષણની નવી તરહો અને પ્રવાહો અંગે માર્ગદર્શન પુરૂ પાડયું હતું, ત્યારબાદ વહીવટી માર્ગદર્શન જયંતભાઈ ગડારા દ્વારા આપવામાં આવ્યું હતું અંતમાં મહામંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ દ્વારા શિક્ષકોના વિવિધ પ્રશ્નો અંગે પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન પિનાઝબેન ગાહાએ કર્યું હતુ. અને આભારવિધિ મોરબીના મહામંત્રી વિશાલભાઈ ગોધાણી દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાબુભાઈ પીઠીયા, મહેન્દ્રભાઈ કચોટ, વી.વી. ચોપડા, વિનોદભાઈ કૈલા તેમજ ચંદ્રેશભાઈ અગ્રાવત તેમજ સમગ્ર ટીમે ખુબ સહયોગ આપ્યો હતો.






Latest News