ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ


SHARE











મોરબી નજીક અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર રહેતા પરિવારનો બાળક રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે બાઈક ચાલકની હડફેટે ચડી ગયો હતો જેથી તેને ઇજાઓ થઈ હતી અને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર આપીને વધુ સારવાર માટે તેને રાજકોટ લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજકોટ ખાતે બાળકનું મોત નીપજ્યું હતું જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આ ગુનામાં આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ રોડ ઉપર ઝીલટોપ સીરામીક નજીકના સુદીપ ગોડાઉન નજીક રહીને મજૂરી કામ કરતા પરિવારનો મનીષ કરશનભાઈ જાડેજા જાતે ડફેર નામનો નવ વર્ષનો બાળક ગત તા.૪/૧૨ ના રોજ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સ્મશાન નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો દરમિયાનમાં બાઈક નંબર જીજે ૩૬ એજી ૦૭૭૮ ના ચાલકે હડફેટે લીધો હતો જેથી ઈજા પામેલ મનીષ જાડેજાને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં તે બાળકનું સારવારમાં મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના પરિવારજને નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પીએસઆઈ બી.એન. બગડા અને રાઇટર વાસુદેવભાઈ સોનાગ્રા દ્વારા આરોપી વિશાલ ગજુભાઈ સાતોલા જાતે કોળી (૧૯) રહે. ઈંદિરાનગર મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે

યુવતી સારવારમાં
મોરબીના સામાકાંઠે ત્રાજપર નજીક આવેલ મયુર સોસાયટીમાં રહેતી પૂજાબેન અજયભાઈ મકવાણા નામની ૨૭ વર્ષીય યુવતી કોઈ અકળ કારણોસર ફીનાઇલ પી ગઈ હતી જેથી તેઓની માતા જશોદાબેન તેણીને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરાતા કયા કારણસર ઉપરોક્ત બનાવ બન્યો છે તે દિશામાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

બાઈક અકસ્માત
મોરબીના સામાકાંઠે આવેલ જનકલ્યાણનગર વિસ્તારમાં રહેતા જયદીપ અનિલભાઈ ફુલતરીયા જાતે વ્યાસ (ઉંમર ૩૨) નામના યુવાનને ઘરેથી સીટીમાં જતા સમયે મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારમાંથી બાઈક લઈને જતા સમયે બાઇક સાથે કૂતરું અથડાવવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા બનાવ સંદર્ભે નોંધ કરીને સ્ટાફના જગદીશભાઈ ડાંગર દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાઈ હતી.






Latest News