ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ભારતીય વિચાર મંચ દ્વારા કાલે જાહેર વ્યાખ્યાન યોજાશે


SHARE











મોરબીમાં ભારતીય વિચાર મંચ દ્વારા કાલે જાહેર વ્યાખ્યાન યોજાશે

आ नो भद्रा क्रतवो यन्तु विश्वत: ના વિચારને કેન્દ્રસ્થાને રાખી વિવિધ વિષયો પરની વિચાર ગોષ્ઠી અને વ્યાખ્યાનના કાર્યક્રમો થકી મોરબીના પ્રબુદ્ધજનોમાં જાણતા ભારતીય વિચાર મંચ મોરબી દ્વારા કાલે તા ૧૯ ને મંગળવારે રાત્રે ૯ વાગ્યે સરસ્વતી શીશુ મંદિર સનાળા મુકામે बदलते समयमें हिंदुत्व कि परिभाषा (બદલાતા સમયમાં હિંદુત્વ ની પરીભાષા) વિષય પર પોતાની વિવિધ પુસ્તકોને લીધે જાણીતા લેખક તથા વિચારક અને અખિલ ભારતીય પ્રજ્ઞા પ્રવાહના સંયોજક જે નંદકુમારજી ના સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને મોરબીના પ્રબુદ્ધજનોને આ કાર્યક્રમમાં સહપરિવાર તેમજ મિત્રમંડળ સાથે આવવા માટે ભારતીય વિચાર મંચના સંયોજક રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા સહ સંયોજક ચિરાગભાઈ આદ્રોજાએ તેઓની યાદીમાં જણાવ્યુ છે.

 

મોરબીમાં મોચી સમાજના કારીગરો માટે પીએમ વિશ્વકર્મા યોજનામાં રજિસ્ટ્રેશન માટે કેમ્પ યોજાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના વિવિધ ક્ષેત્રે ઉપયોગી એવા કારીગરોના લાભાર્થે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત તા. ૧૭/૧૨ ને રવિવારે સવારે ૯:૦૦ વાગ્યેથી બપોરેના ૧:૦૦ વાગ્યા સુધી સતવારા જ્ઞાતિ ની વાડીરામજી મંદિર પાછળમાધાપરામોરબી ખાતે  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબીના સહકારથી સમસ્ત મોચી સમાજના ભાઈઓ માટે પીએમ વિશ્વકર્મા કૌશલ યોજના રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ અંદાજે ૭૦ થી વધુ ભાઈ બહેનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જાગા સ્વામિ મિત્ર મંડળ મોચી સમાજ મોરબીના પ્રમુખ ઈશ્વરભાઈ રાઠોડ તેમજ કાંતિભાઈ રાઠોડ, દિલીપભાઈ પરમારરાજુભાઈ પરમારબળવંતભાઈ વાઘેલાનાથાભાઈ ઝાલા તથા  સર્વે જ્ઞાતિજનોનો સહકાર મળેલ છે






Latest News