મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં શાંતિવન આશ્રમે કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી-મહાપ્રસાદનું આયોજન


SHARE











મોરબીમાં શાંતિવન આશ્રમે કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી-મહાપ્રસાદનું આયોજન

મોરબીના વીસીપરામાં આવેલ શાંતિવન આશ્રમે સદગુરુ કેશવાનંદબાપુની ૨૪ મી પુણ્યતિથિએ સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ ધાર્મિક કાર્યક્રમ અને પ્રસાદનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે

મોરબીના વીસીપરામાં ધોળેશ્વર રોડ પર આવેલા શાંતિવન આશ્રમ ખાતે અનંત વિભૂષિત સદગુરુ કેશવાનંદ બાપુની ૨૪ મી પુણ્યતિથિ નિમિતે કલ્યાણનંદ (ગુરુદેવ શ્રી કેશવાનંદ બાપુ) ના સાનિધ્યમાં તા ૨૬/૧૨ ને મંગળવારે સંતવાણીગુરુયાગ યજ્ઞસત્યનારાયણ કથા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુરુયાગ યજ્ઞ સવારે ૭ વાગ્યે, બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ, સાંજે સત્યનારાયણ કથા અને રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાશે અને સંતવાણીના કાર્યક્રમમાં શૈલેષભાઈ રાવલલલિતાબેન ઘોડાદ્રાકિશોરભાઈ વાઘેલાપીયૂષભાઈ મિસ્ત્રી સહિતના કલાકારો જમાવટ કરશે જેથી કરીને મોરબી પંથકની ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે કલ્યાણનંદ (ગુરુદેવ કેશવાનંદબાપુ)એ જાહેર નિમંત્રણ આપેલ છે






Latest News