મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

સાથી હાથ બઢાના : મોરબીમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીના શિક્ષણના લાભાર્થે સમૂહ લગ્નનું આયોજન


SHARE







સાથી હાથ બઢાના : મોરબીમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીના શિક્ષણના લાભાર્થે સમૂહ લગ્નનું આયોજન

મોરબીમાં પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણના લાભાર્થે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું મોરબીમાં આયોજન કરાયેલ છે.વર્ષ ૧૯૯૬થી કાર્યરત ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યુ છે.ત્યારે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણના લાભાર્થે ૧૧ દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. 

ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર તેમજ મંત્રી કેશુભાઈ ચાવડાએ યાદીમાં જણાવેલ છે કે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓને ફ્રી માં શિક્ષણ આપી શકાય તે માટે ૧૧ દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે.આ લગ્નોત્સવ બાદ વધતી રકમને માત્રને માત્ર પિતા વગરના બાળકોના અભ્યાસમાં ઉપયોગ લેવામાં આવશે.આ સમૂહ લગ્નોત્સવનો લાભ લેવા માંગતા મોરબી જિલ્લાના કોઈપણ જ્ઞાતિના પરિવારજનોએ આગામી ૧૮-૧૨ ના રોજથી પ્રાગટ્ય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહીદાસપરા મેઈન રોડ, મોરબી ખાતેથી સવારના ૧૦ થી ૧ દરમિયાન ફોર્મ મેળવી શકશે.લગ્નોત્સવ આગામી તા.૧૮-૨-૨૪ ના રોજ મોરબી ખાતે યોજાશે.વધુ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર (મો.૯૬૨૪૬ ૮૬૭૧૮) તેમજ મંત્રી કેશુભાઈ ચાવડા (મો.૬૩૫૨૮ ૮૩૭૭૨) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.






Latest News