ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અફીણના રસ સાથે પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો


SHARE











મોરબી જીલ્લામાં અફીણના રસ સાથે પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો

મોરબી જિલ્લાના માળિયા મીયાણા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ચોકડીના ઓરબ્રીજની નીચેના ભાગમાં આવેલ રામદેવ હોટલ ખાતે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં માદક પદાર્થ અફીણના રસના જથ્થા સાથે આરોપી પકડાયો હતો. જે અંગે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા હાલ આરોપીના વકીલે કરેલી દલીલોને આધારે કોર્ટે આરોપીને શરતી જામીન ઉપર મુક્ત કરેલ છે

બનાવની ટુંકમાં વિગત એવી છે કે મીયાણા પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ભીમાસર ચોકડીના ઓરબ્રીજની નીચેના ભાગમાં આવેલ રામદેવ હોટલ ખાતે પોલીસે રેડ કરી હતી ત્યારે પોલીસે ૧૪૫ ગ્રામનો માદક પદાર્થ અફીણના રસનો જથ્થા (ઓપીયમ આલ્કોલાઈડ) સાથે આરોપી વેહનારામ દલારામ ચૌઘરીને એનડીપીએસ એકટ ની કલમ ૮(સી), ૧૭(બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે અટક કરેલ હતો અને તે આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એનડીપીએસ) તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપીના વકીલ મનિષ પી .ઓઝા (ગોપાલ ઓઝા)એ નામ. સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ કરી હતી તેને ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એનડીપીએસ) તથા સેશન્સ જજ પી.સી. જોષીએ આરોપી વેહનારામ દલારામ ચૌધરીને ૧૦,૦૦૦ ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરલે છે આ કેસમાં આરોપી વેહનારામ દલારામ ચૌધરીના વકીલ મનિષ ઓઝા (ગોપાલભાઈ) તથા કુ.મેનાઝ એ. ૫રમાર રોકાયેલા હતા.






Latest News